રાજકોટ લોકસભા બેઠકનો વિવાદ સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બન્યો

ગુજરાતભરમાં ક્ષત્રિયોનો વિરોધ છતાં શા માટે ભાજપે રૂપાલાને ‘અડીખમ’ રાખ્યા!

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 04 May, 2024 | 05:27 PM
ક્ષત્રિયોના વિરોધ સામે કડવા-લેઉવાને એક કર્યા: નાની જ્ઞાતિઓને સતત ભાજપ સાથે રાખવા વ્યુહ ગોઠવ્યો
સાંજ સમાચાર

► વડાપ્રધાને ડેમેજ કંટ્રોલ કરવા કરેલા પ્રયાસ બાદ જામનગરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનથી થનારી અસર હજું અનિશ્ચિત

► ભાજપે 2 દશકાથી ગુજરાતમાં સોશ્યલ એન્જીનીયરીંગ જે બનાવી છે તેના પર ભરોસો રાખ્યો

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં છ થી આઠ બેઠકો પર રૂપાલા ફેકટર કેટલી અસર કરી શકે તેની ચર્ચાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ ક્ષત્રિયોને હકારાત્મક સંદેશા સાથે ડેમેજ કરવા પ્રયાસ કર્યા અને મોદીની જામનગર રેલી પુર્વે તેઓ જામસાહેબને પણ મળ્યા. ઉપરાંત રાજા-મહારાજાઓ ભાજપ સાથે છે તે દર્શાવવા રાજકોટમાં પુર્વ રાજવી માંધાતાસિંહને યજમાન બનાવી સૌરાષ્ટ્ર-ગુજરાતના 40-50 રાજવીઓ રાષ્ટ્ર-પ્રથમ એટલે કે સમાજ પુર્વે ભાજપ-પ્રથમ તેઓ આપવા ફરજ પાડી હતી.

પરંતુ તેના બીજા જ દિવસે ક્ષત્રિય સમાજનુ જામનગરમાં જ સંમેલન મળ્યું અને તેમાં જામસાહેબને પણ હવે સમાજ નહી સ્વીકારે તે સંદેશા આપીને મોદીના ડેમેજ કંટ્રોલ તથા ક્ષત્રિય સમાજના રોષ શાંત પાડવા માટે જે રીતે ભૂચર મોદીની તેમની મુલાકાતનું દ્રષ્ટાંત આપ્યું પણ તે ધાર્યા પરિણામ લાવી શકયું નથી તે ચર્ચા ભાજપમાં છે.

જામનગરનું ક્ષત્રિય સંમેલન અને રાજકોટમાં લેઉવા પટેલ સમુદાયને સંબોધીને વાયરલ થયેલી પત્રિકા એ રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના લેઉઆ પટેલ ઉમેદવાર પરેશ ધાનાણી માટે પણ મત ખેચી લાવે તેવા સંકેત છે પણ પ્રશ્ર્ન એ છે કે રૂપાલા ફેકટર ડેમેજ કરી શકે છે. ભાજપના પાંચ લાખ મતોની લીડનો લક્ષ્યાંકને પણ હાંસલ કરતા રોકે તેવી ક્ષમતા છે અને અન્ય ફેકટર પણ ભળ્યા છે છતાં ભાજપે શા માટે રૂપાલાને ઉમેદવાર તરીકે દુર કર્યા નહી તે ચર્ચા છે.

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ પણ આ પ્રકારના વિવાદોમાં જ્ઞાતિ-જાતિની ટકકર જોઈ છે પણ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ સમયમાં તમામ જાતિઓ ધાર્મિક રીતે હીન્દુત્વના એક જ મુદા પર જોડાઈ છે. તે વચ્ચે પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન અને 2016-17 ઠાકરોનું આંદોલન પણ જોયું છે પણ મોટાભાગના આંદોલનના નેતાઓ અંતે તો ભાજપમાં જોડાઈ ગયા છે.

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તેના દ્રષ્ટાંત છે અને ભાજપે પાટીદાર અનામત આંદોલન પર નિયંત્રણ મેળવી લીધુ હતું. પાટીદાર શક્તિશાળી સમુદાય છે. 1990 તે ભાજપ સાથે છે પણ 2017માં જે રીતે પાટીદાર અનામત આંદોલનને કારણે પંચાયતની વિધાનસભા સુધી ભાજપને સહન કરવું પડયું તે પણ ભાજપ ભૂલી શકે નહી. ઓબીસી મતદારો અને ક્ષત્રિય સમુદાય ભાજપની સાથે જ રહ્યા છે અને ભાજપે ગુજરાતમાં સોશ્યલ એન્જીનીયરીંગ સુધી સાધી લીધી છે.

પહેલા ક્ષત્રિય આંદોલનકારીઓ એ રૂપાલા અને રાજકોટ બેઠકને ટાર્ગેટ કર્યા પણ ભાજપ મચક નહી આપે અને રૂપાલાએ ઉમેદવારી કરી પછી આંદોલન સમગ્ર ગુજરાતમાં ફેલાયુ. હવે પ્રશ્ર્ન એ છે કે ભાજપે રૂપાલાને યથાવત રાખવા અને ક્ષત્રિય સમાજને નારાજ કરવાનું જોખમ કેમ લીધું છે.

ભાજપની ગણતરી મુજબ ક્ષત્રિય આંદોલન રૂપાલા સામે હોવાથી કડવા-લેઉવા પાટીદારો એક થઈ જશે અને ઓબીસી સમાજ જે નાના નાના વર્ગોમાં વહેંચાયેલો છે તેના પર રાજકોટમાં સામુહિક રીતે ભાજપે તેની તાકાત કેન્દ્રીત કરી છે. ભાજપે તેનો પ્રચાર લો-પ્રોફાઈલ રાખો જેથી ક્ષત્રિયોને કોઈ ઉશ્કેરાટનું કારણ બને નહી. ભાજપે લેઉવા-કડવાથી સાથે નાના સમુદાયને એક કરી ક્ષત્રિયોના મતો મોટી અસર કરે નહી તે નિશ્ચિત કર્યુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj