રાજકોટ તા.14
જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બોર્ડમીટીંગમાં રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા હાજર રહ્યા હતા. ગ્રામ્યસ્તરે પાણી-ભુગર્ભ ગટર તથા કચરા જેવી પાયાની સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સૂચના આપી હતી.
જીલ્લા પંચાયત ખાતે ગ્રામ વિકાસ એજન્સીની બોર્ડ મીટીંગ રાખવામાં આવી હતી તેમાં મીશન મંગલમ, મનરેગા, પીએમ એ વાય સાંસદ આદર્શ ગ્રામ જેવી કલ્યાણકારી સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ મીટીંગમાં જીલ્લાના સાંસદ અપેક્ષિત હોય છે ત્યારે પરસોતમ રૂપાલા પણ મીટીંગમાં પહોંચ્યા હતા.
મીટીંગમાં તેઓએ વિવિધ મુદાઓ પર સૂચનો પણ કર્યા હતા. કલાયમેટ ચેન્જના વર્તમાન દોરમાં પર્યાવરણની રક્ષા માટે ‘એક પેડ માકે નામ’ યોજનાને મહતમ આગળ ધપાવવા સૂચવ્યુ હતું. ઉપરાંત પ્રજાહિતના કામો ઝડપથી પૂર્ણ થાય અને કલ્યાણકારી યોજનાઓમાં કામની સ્પીડ વધારવાની તાકીદ કરી હતી. ગ્રામ્યસ્તરે પાણી-ભુગર્ભ ગટર તથા કચરાના નિકાલ- સ્વચ્છતાના કામો પર ધ્યાન ફોકસ કરવા સુચના આપી હતી.
આજની મીટીંગમાં જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી જીલ્લા વિકાસ અધિકારી નાનાથ ગવ્હાણે, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુ ડાંગર, ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ હાજર હતા.મીટીંગ પુર્વે પરસોતમ રૂપાલા જીલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં ભાજપના આગેવાનો-પદાધિકારીઓને પણ મળ્યા હતા.
કેબીનેટ મંત્રીપદ મળે કે ન મળે તેના કોઈ કારણો ન હોય: રૂપાલા
રાજકોટનાં સાંસદ પરસોતમ રૂપાલા આજે જીલ્લા પંચાયત ખાતે બેઠકમાં હાજર હતા. ગત ટર્મમાં પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા રૂપાલાને આ વખતે કેબીનેટમાં લેવાયા નથી. આ મામલે તેઓએ કહ્યું કે કેબીનેટમાં લેવા-ન લેવાનો નિર્ણય વડાપ્રધાન લેતા હોય છે. પ્રધાનપદ આપવા કે ન આપવા પાછળના કોઈ કારણો પણ હોતા નથી. નેતાગીરીના નિર્ણય સામે કોઈ વાંધો હોઈ જ ન શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy