(શરદ રાવલ) હડીયાણા,તા.29
જામનગર જીલ્લાના સચાણા ગામે ઠુંગા પરિવાર દ્વારા ભાગવત આચાર્ય શાસ્ત્રીજી કૌશિક ભટ્ટ (રાણસીકી વાળા)ના વ્યાસાસને તા.25મીથી ભાગવત કથાનો પ્રારંભ થયો છે. શ્રી મદ્ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા દરમ્યાન તા.28ને રવીવારેના સાંજ ના સમયે શ્રી કૃષ્ણ જન્મની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી..
ધાર્મીક પ્રસંગ મહોત્સવની દરરોજ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.અને કથા માં સંતો મહંતોનું આગમન.અને કથાના તા.28ના રવિવારના રોજ રાત્રે લોક ડાયરો સંતવાણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રસ્મિતાબેન રબારી (ગુજરાતના સુપ્રસિધ્ધ લોકગાયકા)અસ્મિતાબેન આહિર.લોક ગાયક તેમજ વાલાભા ગઢવી જાણીતા સાહિત્યકાર તથા ભજનિક દિવ્યાબેન ગમારા લોકગાયીકા દાંડિયા રાસ વગેરે કાર્યક્રમ યોજાયા હતા.તા.30ના મંગળવારના રોજ હકાભા ગઢવી (ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય તથા લોક સાહિત્યકાર) ભરતસિંહ રાજપૂત (ભજનિક) નેયાબેન પટેલ (લોકગાયિકા અમદાવાદ) જયદીપભાઈ ગઢવી (સાહિત્યકાર સંચાલક) સાંજીદા ગ્રુપ (લાભૂદાન ગઢવી) વગેરેનો કાર્યક્રમ યોજાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy