અમદાવાદ,તા.19
અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડતાં પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી લીધા હતા.
જેમાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાલ કેવી રીતે ધારાશાઈ થઈ અને આ લોકો દિવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગે હજી જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડની ટીમ હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો છે કે કેમ તે અંગે સર્ચ ઓપરેશન કરવાની કામગીરી કરી રહી છે.
ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલા જ સ્થાનિક લોકો દિવાલ નીચે જે દબાયા હતા તેમને બચાવવાની શરૂઆત કરી લીધી હતી.સ્થાનિક લોકોએ જે લોકો બહાર દેખાતા હતા તેમને તાત્કાલિક ખેંચી અને બહાર કાઢી લીધા હતા. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી દીધી હતી.
કુલ પાંચ લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. જેમાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા હતા. જ્યારે ત્રણ લોકો જીવિત હાલતમાં હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રેલવેની દીવાલ પાસે શા માટે આ લોકો બેઠા હતા ને ત્યાં રહેતા હતા કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy