અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ચુંટણી લડતા ઉમેદવારો કે તેમની પ્રચાર સભા કે રેલી સહિતના સ્થળો પર કાળા વાવટા ફરકાવવા સહિતના દેખાવો પર કલમ 144 હેઠળ પ્રતિબંધ મુકયો છે તેની સામે ક્ષત્રિય સમાજ હવે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આ પ્રકારના શાંતિપૂર્ણ વિરોધનો લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો હોવાની ફરિયાદ કરી છે.
કરણી સેનાના પુર્વ કન્વીનર તથા ક્ષત્રિય અગ્રણી અર્જુનસિંહ ગોહિલે પોલીસ કમિશ્નરના આ પરિપત્રને પડકાર્યો છે. ગત સપ્તાહે આ જાહેરનામું બહાર પડયુ હતું. રાજયભરમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યો છે તેમાં હાલ આ પ્રકારનો પ્રતિબંધ ફફકત અમદાવાદમાં જ મુકાયો છે તે સૂચક છે.
અરજીમાં જણાવ્યું છે કે, આ પ્રકારના પ્રતિબંધો ફકત તાકીદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે અને પરિપત્રમાં આવી કોઈ પરીસ્થિતિ સર્જાઈ હોય તેવું દર્શાવાયુ નથી. આ ઉપરાંત પોલીસ કમિશ્નરે આ પ્રકારના કલમ 144 હેઠળના પ્રતિબંધાત્મક આદેશો અંગે જીલ્લા કલેકટરનો અભિપ્રાય લેવાનો હોય છે અને આ કેસમાં આ પ્રકારનો અભિપ્રાય મેળવાયો નથી.
ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ચુંટણી પ્રચાર કાર્યક્રમો અને કાર્યાલયો તથા રેલીમાં વિરોધ પ્રદર્શન રૂપે આ પ્રકારે કાળા વાવટા દેખાડે છે અને આ રીતે વ્યાપક વિરોધ બનતા ભાજપે તેના ગ્રામીણ ક્ષેત્રોમાં તેના અનેક કાર્યક્રમો રદ કરવા પડી રહ્યા છે.
ગઈકાલે હાઈકોર્ટમાં આ અરજી પર કઈ બેન્ચને વિચારણા માટે સુપ્રત કરવા સહિતના મુદે હવે નિર્ણય લેવા જણાવ્યુ હતું. જસ્ટીસ વી.ડી.નાણાવટી સમક્ષ અરજદારે હવે ચુંટણીમાં 15 દિવસ જ બાકી રહ્યા છે તેથી અરજન્ટ હીયરીંગ માંગ્યુ હતું. પણ તેવો કોઈ સંકેત મળ્યો નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy