રાજકોટ:
આવતીકાલે ગુજરાતમાં યોજાનારી લોકસભા ચુંટણીના મતદાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન માટે આજે રાત્રીના જ અમદાવાદ આવી પહોંચશે. શ્રી મોદી અમદાવાદના રાણીપ મતક્ષેત્રમાં અહીની નિશાના સ્કુલમાં મતદાન કરશે.
એસપીજીની ટીમ ગઈકાલે જ અહી મોદીની સુરક્ષા માટેની વ્યવસ્થા ગોઠવવા પહોંચી ગઈ હતી અને મોદી આજે રાત્રીના 9.30 વાગ્યે અમદાવાદ વિમાની મથકે આવીને રાજભવનમાં રોકાણ કરશે અને સવારે 7.30ના મતદાન કરીને પછી અન્ય રાજયમાં ચુંટણી પ્રવાસે રવાના થશે.
આ ઉપરાંત ઉતરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થિલજમાં મતદાન કરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નારણપુરામાં મતદાન કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy