(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.2
લીલીયામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના સ્થાનિક સોર્સમા પાણી ડુકવા લાગ્યા છે. અહી મહીનુ પાણી છેવાડાના વિસ્તારો સુધી પહોંચતુ ન હોય લોકોને ખુબ મુશ્કેલી વેઠવી પડી રહી છે. અહી નલ સે જલ યોજના ઠેરની ઠેર પડી છે. શહેરમાં ગુજરાત જળ જીવન મિશન અને પાણી પુરવઠા વિભાગ દ્વારા નવ કરોડના ખર્ચે નલ સે જલ યોજનાની કામગીરી કરવામા આવી હતી. પરંતુ આ યોજના ઠેરની ઠેર હોવાનુ જોવા મળી રહ્યું છે. શહેરમાં આઠ માસથી તંત્ર દ્વારા 3પ લાખ લીટર ક્ષમતાનો પાણીનો સંપ, 1પ લાખ લીટરની ત્રણ ટાંકી અને 3ર કિમી વિસ્તારમાં પાઇપ લાઇનબિછાવવાની કામગીરી પુરી કરી નાખવામા આવી છે અને તમામ સંપ, પાઇપ લાઇનનુ ટેસ્ટીંગ પણ થઇ ગયુ છે.
જો કે તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયતના સતાધીશોએ લોકફાળાની રકમ કોઇ કારણોસર ન ભરતા આજદિન સુધી હાઉસ કનેકશનની કામગીરી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિક લોકોએ ઉચ્ચકક્ષા સુધી રજુઆત કરી છે. જો કે હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. હાલ સ્થાનિક સોર્સમાં પણ પાણી ડુકવા લાગ્યા છે જેના કારણે લોકોને પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. લોકફાળાની રકમ એકઠી કરવા કમિટીની રચના કરાઇ હતી એક માસ પહેલા લીલીયામાં સ્થાનિક પદાધિકારી અને આગેવાનોએ લોકફાળાની રકમ એકઠી કરવા માટે કમિટીની રચના કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઇ પરિણામ મળ્યું નથી. શહેરમાં નલ સે જલ યોજના ઠેરની ઠેર મહીનું પાણી છેવાડાના વિસ્તાર સુધી પહોંચતું ન હોય ત્યારે કરોડોની યોજનાનું પરિણામ હાલ શૂન્ય જોવા મળી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy