જુનાગઢ તા.29
જુનાગઢ ઝાંઝરડા રોડ પટેલ કોલોની સામે રહેતા જીવનભાઈ નરસિંહભાઈ જાવીયા (ઉ.68) ગત તા.27/4/2024ના બપોરના સવા કલાકના સુમારે દોલતપરા 66 કેવી રેલ્વે ફાટક પાસેના પીલર નં.101/3થી 4ની વચ્ચેના ભાગે પાટા ઉપર અકસ્માતે ટ્રેનની હડફેટે આવી જતા બન્ને પગ કપાઈ જતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા જયાં તેમનું મોત નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત
માળીયા હાટીનાનાં ભંડુરી ગામે રહેતા કીશનભાઈ નગાભાઈ પટાટ (ઉ.48)એ માળીયા પોલીસમાં જણાવ્યા મુજબ તેમના નાનાભાઈ પ્રફુલભાઈ નગાભાઈ પટાટ (ઉ.40)એ કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા જુનાગઢ સરકારી દવાખાને લઈ આવતા જયાં સારવાર દરમ્યાન મોત નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
તરૂણીનું મોત
માંગરોળ મરીનના મકતુપુર ગામે રહેતા હીરાભાઈ લખમણભાઈ ભુતિયાની દિકરી જીગ્નાબેન (ઉ.16) ગત તા.22-4-2024ની સાંજે 4ના સુમારે વાડીઓ, રસોડામાં તેલના ડબ્બામાંથી તેલ ભરવા જતા ત્યાં બેઠેલા ઝેરી શાપે હાથની આંગળીમાં દંશ દઈ દેતા પ્રથમ માંગરોળ સીએચસી બાદ જુનાગઢ ઘનિષ્ઠ હોસ્પીટલમાં લઈ આવતા જયાં તેણીનું સારવાર દરમ્યાન મોત નોંધાતા માંગરોળ મરીને તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy