‘સાંજ સમાચાર’ રાજકીય અહેવાલોમાં પણ અગ્રેસર, ’સાંજ સમાચાર’ જ લખ્યું હતું કે નેતાઓ બાદ ઉમેદવાર પણ ગદ્દારી કરે એવો ભય.... : ગઈકાલે 22 એપ્રિલના રોજ સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. 21 એપ્રિલના રોજ કોંગ્રેસના નિલેશ કુંભાનીનું ફોર્મમાં ભૂલને કારણે અમાન્ય જાહેર થયું હતું. ત્યારબાદ 7 અપક્ષ અને એક બસપાના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ પેહલા તો કોર્ટના દ્વાર ખટખટાવી કાયદેસર પ્રક્રિયા હાથ ધરવાનો વિચાર હતો પરંતુ હવે જ્યારે એવા અહેવાલ મળી રહ્યા છે કે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ભાજપમાં જોડાવાના છે.
"સાંજ સમાચાર” એક મહિના પેહલા 22 માર્ચના જ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા કે ગુજરાતમાં કોઈ પણ બેઠક ભાજપ બિનહરીફ કરાવી શકે છે અને કોંગ્રેસ પક્ષ સાથે તેના જ નજીકના ગદ્દારી કરી શકે છે. કોંગ્રેસ પક્ષમાંથી અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી રદ કરી હતી અને સાથોસાથ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
સાંજ સમાચાર એ તે સમયે ગાંધીનગર અને નવી દિલ્હીથી રાજકીય સૂત્રો પાસે થી માહિતી મેળવી હતી કે કોંગ્રેસ ટેન્શનમાં છે કારણકે નેતા પછી ઉમેદવાર પણ હવે ગમે તે સમયે ગદ્દારી કરે તેવી ભિતી છે, અને તે જ થયું. આજે ગુજરાત ભાજપે એક ઇતિહાસ રચ્યો છે જ્યારે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy