વડાપ્રધાન મોદી સુરેન્દ્રનગર શહેરમાં : બપોરે એક વાગ્યાથી સભા

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Surendaranagar | 02 May, 2024 | 02:25 PM
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીઓની પણ ઉપસ્થિતિ : 3 લોકસભાની બેઠકનો પ્રચાર : વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત : 1100 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 2

લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. જોકે, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે, તો બીજી તરફ 15થી વધુ રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.ગરીબોને ન્યાય મળે, દરેક લોકોને આગળ વધવાની તક મળે, નિમ્ન મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગને આગળ વધવામાં કોઈ અડચણ ન આવે. સુરક્ષિત ભવિષ્ય, શ્રેષ્ઠ જીવન અને સંપન્નતા, કર રાહત પ્રક્રિયાઓ પણ સરળ બની છે. આજરોજ બપોરે એક વાગ્યાથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરેન્દ્રનગર ના રાજકોટ બાયપાસ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાનું આયોજન કરાયું છે.

ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં આ સભા કરવામાં આવી છે. 
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગર ખાતે સભા કરવા આવી રહ્યા છે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બંને પક્ષ દ્વારા પ્રચાર અને પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યું છે સ્ટાર પ્રચારકો હવે મેદાનમાં આવી રહ્યા છે અને ખાસ કરીને તેમના ઉમેદવાર જીતે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપરથી ભાજપ એ ચંદુભાઈ સિહોર અને ટિકિટ આપી છે જોકે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ તેમજ કોળી સમાજ ભાજપની નારાજ છે.

ત્યારે આ સમગ્ર બાબતે ભાજપને નુકસાન જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી પ્રકારના સમીકરણ રચાયા છે અને ક્ષત્રિયોએ તો કોંગ્રેસને ખુલ્લો ટેકો આપી દીધો છે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને જાહેરમાં પૈસેથી લઈ તન મન ધન થી તમામ રીતે ટેકો જાહેર કરી અને તેના તરફ મતદાન કરવા અંગેના શપથ લેવામાં આવ્યા છે બુથ થી લઈ અને સભા રેલી તેમજ મતદાન સુધી ક્ષત્રિય સમાજ ઋત્વિક મકવાણાની સાથે રહેશે તે અંગે કમિટમેન્ટ આપવામાં આવ્યું છે હવે ભાજપના ઉમેદવારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે સમીકરણ એવા છે કે ક્ષત્રિય સમાજ નારાજ છે ઉપરાંત તળપદા કોળી સમાજના નેતાને છેલ્લી ત્રણ ટર્મ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં નથી આવતી.

ઠાકોર સમાજના નેતા માંથી ભાજપ ટિકિટ આપી રહ્યું છે જેને લઈને હવે તળપદા કોળી સમાજ પણ ભાજપથી નારાજ છે તાજેતરમાં યોજાયેલા કોળી સંમેલનમાં પણ પાકી હાજરી જોવા મળી હતી કુવરજીભાઈ બાવળિયાએ આ બાબતે પણ જણાવ્યું હતું કે ગરમી હોવાના કારણે લોકો આ સંમેલનમાં નથી આવ્યા બાકી એવું કાંઈ નથી પરંતુ તે તો એક સ્વબચાવ હોય તે અંગેનું નિવેદન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત હવે ભાજપની ચિંતામાં વધારો થતાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજરોજ સુરેન્દ્રનગર ખાતે સભા કરવા આવી રહ્યા છે.

સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ આ માટે કામે લાગી છે પ્રદેશના નેતાઓ પણ હવે સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે અને ખાસ કરી કેવા પ્રકારનું આયોજન કરવું સભા સ્થળ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અન્ય જે કામગીરી છે તેમાં ભાજપ બન્યું છે નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનની જાહેરસભાને પગલે જિલ્લા પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી અને એક્ઝીસ્ટ પોઈન્ટ પર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરાઈ છે. રાજયમાં લોકસભા ચૂંટણીમાં હાલ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બપોરે 1 કલાકે શહેરના રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સામે વડાપ્રધાન સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બેઠકમાં કમળ ખીલવવા જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન સહિત 40 વ્યક્તિઓ બેસી શકે તેવા વિશાળ સ્ટેજ અને એક લાખથી વધુની માનવ મેદની બેસી શકે તેવા ડોમની વ્યવસ્થા જિલ્લા ભાજપ દ્વારા કરાઈ છે.
 

રાજયમાં માહોલ બરાબરનો જામ્યો
સમગ્ર દેશ અને રાજયમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. તા. 7મી મેના રોજ થનાર મતદાન માટે અંતીમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જતા હાલ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરાંત રાજકોટ અને ભાવનગરની બેઠક પર કમળ ખીલવવા માટે દેશના વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક આજે ગુરૂવારે સુરેન્દ્રનગર છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર યોજાનાર આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. હોવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોર અને જીતાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ સભા કરવાની ફરજ પડી છે ત્યારે એક બાજુ ક્ષત્રિયનો વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ચંદુભાઈ શિહોરા ને જીત આપવા માટે ભાજપ દ્વારા ભારે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj