રાજકોટ,તા.23
રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા સામે હાલનાં સંજોગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત રહ્યો છે. ત્યારે વિરોધની પરવા કર્યા વિના ભાજપ ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાએ પ્રચાર-પ્રસાર પુરજોશમાં હાથ ધર્યો છે.
અગાઉ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધા બાદ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજનો સહયોગ માંગ્યો હતો અને ફરી એકવાર મોરબી ખાતેની જાહેર સભામાં ક્ષત્રિય સમાજને નાની-મોટી વાતને જતી ફરી રાષ્ટ્રહિતનાં કાર્યમાં જોડાવવા અપીલ કરી હતી.
રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપ ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાએ મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન મોરબી રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ જાહેર સભાનાં મંચ પરથી " જય શિવાજી” " જય ભવાની ” નારા લગાવી ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું. કે રાષ્ટ્રહિતનાં કાર્યમાં જોડાવવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત બનાવવા નાની મોટી વાતને દર ગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાઈ તેવી અપીલ કરી હતી.
એક તરફ ભાજપનાં ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં વિરોધ હજુ યથાવત છે ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા તૈયાર નથી સાથે ભાજપ પક્ષ સામે નારાજની વ્યકત કરી છે.
સાથે ભાજપના ઉમેદવારોને કારમો પરાજય આપવા પાર્ટ-2 ધર્મ યુદ્ધ છેડયુ છે તેવા સમયે ભાજપ ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાએ ફરી એકવાર મોરબી ખાતેની જાહેર સભામાં ક્ષત્રિય સમાજને નાની-મોટી વાતોને જતી કરી રાષ્ટ્રહિતનાં કાર્યમાં જોડાવવા અપીલ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy