(હસમુખભાઈ બી.કંસારા) ધ્રોલ તા.19
ગુજરાત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની નાદુરસ્ત તબીયતને કારણે તેઓએ રાજકોટ સીનર્જી હોસ્પીટલ ખાતે સારવાર બાત તેમના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે ફીજીયોથેરાપી સહિતની વિવિધ સારવારો બાદ હાલમાં તેઓની નાદુરસ્ત તબીયતમાં ફરીથી તેઓ તેમની પ્રજાકીય સેવા કાર્યો તથા વહીવટી કામગીરી કરવા માટે સક્ષમ થઈ ગયેલ છે અને તેના અનુસંધાને તેઓ તેમના માદરે વતન ધ્રોલ ખાતે પરત આવીને તેમની કામગીરી સંપૂર્ણપણે સંભાલીને કાર્યરત થતા તેમના ટેકેદારો, શુભેચ્છકો મીત્ર વર્તુળો સહિત રાજકીય હોદેદારો, આગેવાનોમાં હર્ષની લાગણી વ્યાપેલ છે.
મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ ખાતે તેમના કાર્યસ્થળે આવીને સર્વ પ્રથમ તા.16/4/24ના રોજ અત્રેના લેઉવા પટેલ સેવા સમાજ ખાતે તેમના મિત્રો શુભેચ્છકો તથા કાર્યકરો સાથે શુભેચ્છ મુલાકાતનું આયોજન કરવામાં આવેલ. જેમાં ધ્રોલ તાલુકા સહિત તેમના સમગ્ર મત વિસ્તારના કાર્યકરોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને તેઓ ફરીથી શરીરીક અને માનસીક રીતે સક્ષમ તેમની તબીયતમાં આવેલી ઝડપી રીકવરી માટે તેમના કાર્યકરો અને ટેકેદારોએ કરેલી પ્રાર્થનાઓ અને પરમાત્માની અવિરત કૃપા થવા બદલ શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો.
ધ્રોલ ખાતે યોજાયેલ આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે તેઓએ જણાવ્યું કે હવે તેઓ પુરેપુરા સ્વસ્થ થઈ ગયેલ છે અને ફરીથી તેમની કામગીરીમાં સક્રિય થઈ રહેલ હોવાનું જણાવેલ અને હાલમાં માનનીય વડાપ્રધાનના 400 કે પારના સુત્રોને સાર્થક કરવા માટે કાર્યકરોને તન, મન, ધનથી તેમના વિસ્તારોમાં કાર્યરત થઈને વધુમાં વધુ મતદાન દ્વારા આપણા ઉમેદવારોને જંગી બહુમતીએ વિજયી બનાવવા અનુરોધ કરેલ તે અંગે કાર્યકરો તેમના પ્રતિભાવ માટે જણાવેલ કે તેઓ તેમની આ લાગણી અને માંગણી અંગે સક્રિય થઈને જંગી બહુમતીએ મતદાન કરીને પુનમબેનને વિજયી બનાવવાની કામગીરીમાં સામેલ થશે તેવી ખાત્રી આપી હતી.
મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમની ધ્રોલ ખાતેની ઓફીસે પણ આવીને આ ચુંટણી અંગેનો કાર્યભાર સંભાળેલ છે અને તેમના વિસ્તારોના કાર્યકરોને બોલાવીને આ કામગીરીનો કાર્યભાર સોંપી રહેલ છે. સંસદની ચુંટણી લડી રહેલા પૂનમબેન માડમની તા.18ના યોજોલ વિજય વિશ્વાસ સંકલ્પની સભામાં પણ હાજરી આપીને કાર્યકરોને પુરાજોશ અને જોમથી કાર્ય કરવા લાગી જવા અનુરોધ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy