જામનગર તા.15: એક તરફ જ્યારે પ્રાથમિક શાળા ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ અને શાળાઓ ફરી કાર્યરત થઈ છે ત્યારે જામનગર જિલ્લા પંચાયતની 665 સ્કૂલમા આવેલ છે જેમાં હાલ 383 શિક્ષકોની ઘટ ઉભી છે જ્યારે શિક્ષણ સુધારાની અને ગુણવતાની વાતો ચાલતી હોય તેવા સમયે માત્ર કાલાવડ તાલુકામાં જ 113 શિક્ષકોની ઘટ હોય તે શિક્ષણ જગત માટે ખૂબ જ ગંભીર બાબત ગણાય છે.
જ્યારે શિક્ષણ સુધારાની અને ગુણવત્તા ની મોટી મોટી વાતો થઈ રહી હોય તેવા સમયે જામનગર જિલ્લામાં એક 383 ઘટ્ટ હોવાથી જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પડી રહી હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા ઉઠાવાઇ રહી છે
જામનગર જિલ્લા પંચાયત હસ્તક 665 પ્રાથમિક સ્કૂલો આવેલી છે જેમાં 3,696 શિક્ષકો મંજૂર કરે છે જેમાંથી3,313 ભરતી થઈ બાકી 383 શિક્ષકોની ઘટ હોવાનું જાહેર કરાયું છે .જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી જામનગર તાલુકામાં 198 સ્કુલમાં 54 શિક્ષકોની ખાલી જગ્યા પડી છે ધ્રોલ તાલુકામાં 68 સ્કૂલમાં જોડિયા તાલુકામાં 45 સ્કૂલમાં 33 શિક્ષકોની ઘટ છે
કાલાવડ તાલુકામાં 117 માંથી 113 શિક્ષકોની ખાલી જગ્યા પડી છે જ્યારે લાલપુર તાલુકામાં 125 સ્કૂલોમાં શિક્ષકોની 89 ની ઘટ છે જ્યારે જામજોધપુર તાલુકામાં 112 શિક્ષકોની 61 શિક્ષકોની ખાલી પડી છે.
જામનગર જિલ્લામાં એક તરફ ગુણોત્સવમાં સારો દેખાવ કરવા માટે પૂરતા શિક્ષક હોવા જરૂરી છે. ત્યારે સૌથી વધુ કાલાવડ તાલુકામાં 173 શિક્ષકોની પડી છે જ્યારે સૌથી ઓછી ઘટ્ટ દ્વારા બે તાલુકામાં છે રોડ અને જોડીયા 33 શિક્ષકોની ઘટ છે. વિદ્યા સહાયકો ભરતી પછી પણ શિક્ષકોની આવડી મોટી ઘટ એ શિક્ષણ જગત માટે ખૂબ જ ચિંતાનો વિષય ગણી શકાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy