જામનગરમાં તા.23
મીએ વિશ્વ ધરોહર દિવસ (વર્લ્ડ હેરિટેજ દિવસ) નિમિત્તે પુરાતત્વિય સંગ્રહાલય દ્વારા શહેરના કલાકારોએ દોરેલા નગરની ઐતિહાસિક ઈમારતોના 40 ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને કલાપ્રેમી લોકોએ નિહાળ્યું હતું. આજે રણમલ તળાવ પરિસરમાં વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે લાખોટા મહેલના પુરાતત્વિય મ્યુઝિયમના પ્રવેશ દ્વાર પરની કાચની આર્ટ ગેલેરીમાં મ્યુઝિયમ ક્યુરેટર ડો. ધીરજ ચૌધરી અને નગરના અનુભુતિ ગ્રુપના 20 કલાકારો દ્વારા સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદઘાટન અને દીપ પ્રાગટ્ય નિવૃત્ત ચિત્ર શિક્ષક જગદીશભાઈ જોષીના હસ્તે કરાવવામાં આવ્યું હતું. ઉંમર વર્ષ 17 થી 70ના કલાકારોએ વોટર કલર, એક્રેલિક કલર, ઓઈલ પેઈન્ટ અને પેન્સિલ વડે દોરેલા શહેરના લાખોટા મહેલ, સોલેરિયમ, ભુજીયા કોઠા, ધનવંતરી મંદિર, એકદંડીયો મહેલ સહિતની ઔતિહાસિક ઈમારતોના ર0 ચિત્રો આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy