જામ ખંભાળિયા, તા. 15
ખંભાળિયાના મૂળ વતની અને હાલ આણંદ રહેતા ગં.સ્વ. પ્રભાબેન પ્રાણજીવન દતાણીના સુપુત્ર હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી (અજંતા એગ્રો અને રાજાધિરાજ ડેવલપર્સ - આણંદ) દ્વારા ગુરૂવાર તારીખ 16 ના રોજ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરના શિખર પણ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું
ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુરુવારે સવારે 7 વાગ્યે ધ્વજા પૂજન, 8 વાગ્યે શોભાયાત્રા અને 9 વાગ્યે દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ બાદ બપોરે 12:30 વાગ્યે પ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સહભાગી થવા નિમંત્રિતોને હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy