પોરબંદર-ભાવનગર સહિતની ટ્રેનો વધુ 7 દિ’ બંધ કરાતા મુસાફરોમાં રોષ

Saurashtra | Bhavnagar | 01 May, 2024 | 11:33 AM
યોગ્ય પગલા નહીં લેવાય તો આંદોલનની ચિમકી
સાંજ સમાચાર

ઉપલેટા,તા.1
ભાવનગર રેલવે ડિવિઝનમાં આવેલ પોરબંદર રેલવે સ્ટેશનની પીટ લાઈનમાં સમારકામના કારણે પોરબંદરથી શરૂ થતી ટ્રેનો ને વધુ સાત દિવસ બંધ રાખવાની રેલ્વે પ્રશાસનની જાહેરાતથી મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું સામે આવ્યું છે કારણ કે આ ટ્રેન ને બંધ રાખવા માટેની સતત ત્રીજી વખતની જાહેરાતના કારણે રેલવે તંત્રની ઢીલી નીતિને લઈને આ ટ્રેનમાં મુસાફર કરતાં મુસાફરોનો રોષ ભડકી ઉઠ્યો હોવાનું સામે આવ્યું છે.

રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનને વધુ સાત દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદરની ટ્રેન તેમજ ટ્રેન નંબર 09552/09551/09549/09550 પોરબંદર-ભાણવર-પોરબંદરની બે જોડી ટ્રેનને તારીખ 01 મે 2024, 06 મે 2024 અને 07 મે 2024 ના રોજ ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા પોરબંદર રેલવે પ્લેટફોર્મની પીટ લાઈનમાં સમારકામના કારણે મુસાફરોને ત્રીજી વખત તારીખ પે તારીખ મળી છે અને આ ટ્રેન વધુ સાત દિવસ માટે ટ્રેન બંધ રહેવાની જાહેરાત મળતા મુસાફરોની અંદર રેલવે તંત્રની ઢીલી નીતિના કારણે રોષ ભભુકી ઉઠયો હોવાનું સામે આવી રહ્યું છે. બંધ કરાયેલ ટ્રેનોને પુન: શરૂ નહી કરાય તો આંદોલનના મંડાણ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj