સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાન દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે વક્તા ચૈતન્ય સ્વરૂપ સ્વામીએ ભાવવાહી શૈલીમાં કંસ ઉદ્ધારની કથા દ્વારા કૃષ્ણ પોતે ગાદી પર ન બેસી કંસના પિતા ઉગ્રસેનને ગાદી સોંપી વડીલો પ્રત્યેનું સન્માન પ્રસ્થાપિત કર્યાનું જણાવ્યું હતું.
ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિમાં સુરતના ડાયમંડ કિંગ ગણાતા લાલજીભાઈ પટેલ, રાકેશભાઈ દુધાત, ઘનશ્યામભાઈ કથીરિયા, મનસુખભાઈ સોરઠીયા સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહીને મોરબી રોડ ઉપર કાગદડી ખાતે નવા બનેલા સ્વામિનારાયણ ક્ધયા ગુરૂકુળમાં દીકરીઓ માટે ઉત્તમ જીવન ઘડતરનું સ્થાન બને તેવી ભાવના વ્યક્ત કરી હતી.
નવા આકાર લઈ રહેલા ક્ધયા ગુરૂકુળ વિશે વસંતભાઈ લીંબાસીયાએ જણાવતાં કહ્યું હતું કે, 18 વીઘામાં બની રહેલા ક્ધયા ગુરૂકુળના સંકુલમાં 3,25,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ સાત માળના છાત્રાલયમાં 120 રૂમ હશે તેમજ સ્કૂલ બિલ્ડિંગમાં 90 રૂમ હશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy