ૐ હં હનુમત્યૈ નમો નમ: કેસરીનંદનના જન્મ વધામણાની સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર ઉજવણી

Saurashtra | Rajkot | 23 April, 2024 | 12:31 PM
રાજકોટમાં હનુમાન જયંતી નિમિત્તે બે શોભાયાત્રા : બાલાજી હનુમાનજી મંદિરે 51 કુંડી મારૂતિ યજ્ઞ સહિતના દિવસભરના આયોજનો : ભાવનગર, ઉપલેટા, કોડીનાર સહિતના ગામોમાં ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેતા ભકતો : હનુમાન મંદિરોને રોશનીના શણગાર-સુશોભન : સૌરાષ્ટ્ર હનુમાનમય
સાંજ સમાચાર

 રાજકોટ, તા. 23
આજે કેસરીનંદન હનુમાનજી મહારાજનો પ્રાગટયોત્સવ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરા ધર્મોલ્લાસ  સાથે ઉજવાઇ રહ્યો છે. આ વખતે યોગાનુયોગ હનુમાનજી મહારાજનો મંગળવાર છે તેથી ભકતોમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ
રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિર, બાલક હનુમાનજી મંદિર, સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર, બડે બાલાજી (સુતા હનુમાન-સોરઠીયાવાડી ચોક, કોઠારીયા મેઇન રોડ) સહિતના મંદિરો, દેરીઓમાં આજે હનુમાન જયંતીની ઉમંગભેર ઉજવણી થઇ રહી છે. બાલાજી હનુમાનજી મંદિરે પ1 કુંડી મારૂતિ યજ્ઞ, મહાઆરતી સહિતના આયોજનો  થયા છે. બપોર પણ બડા બજરંગ સંસ્થા દ્વારા ભવ્યાતિત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ હનુમાનમય બન્યું છે.

ભાવનગર
સિદ્ધપુરીયા બારશાખ રાજપૂત સમાજ ભાવનગર દ્વારા આજે મંગળવારે રામદૂત હનુમાનજીના જન્મોત્સવની રેલ્વે સ્ટેશન રોડ પર, છબીલા હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આજે તા. 23ને મંગળવારે હનુમાનજી મહારાજના જન્મોત્સવની સમગ્ર ગોહિલવાડમાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે. તેના ભાગરૂપે સિદ્ધપુરીયા બારશાખ રાજપૂત સમાજ ભાવનગર દ્વારા પણ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ જ્ઞાતિના શ્રી છબીલા હનુમાનજી મહારાજના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવારથી મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે.

જેમાં યજ્ઞમાં આહુતિ બાદ સાંજે ચાર કલાકે શ્રીફળ હોમવવામાં આવશે. સાંજે 5 થી 7 કલાક દરમિયાન રામ દરબારનું આયોજન કરાયેલ છે તેમજ સાત કલાકે હનુમાનજી મહારાજની મહા આરતી કરવામાં આવશે. ત્યારબાદ જ્ઞાતિજનો તથા વિસ્તારના રહીશો માટે ભોજન મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનમાં સહભાગી થવા જ્ઞાતિજનો તથા વિસ્તારના ભાઈઓ-બહેનોને જ્ઞાતિના પ્રમુખ રાજુભાઈ મકવાણાએ અનુરોધ કર્યો છે.

ઉપલેટા
અહીંના સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા આયોજીત ખાખીજાળીયા રોડ ઉપર આવેલ કુંડલા હનુમાન મંદિર ખાતે  હનુમાન જયંતીની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે આરતી સાંજે 6 થી 8 મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું ભકિતભાવપૂર્વક આયોજન કરવામાં આવેલ છે તો આ પ્રસંગે શહેર તથા આજુબાજુના વિસ્તારના ધર્મપ્રેમી ભાઇ બહેનોને પધારવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

કોડીનાર
ભાવનગર નજીકના અધેવાડા ખાતે તાજેતરમાં ભુરખીયા હનુમાનજી મંદિરથી જયોત લાવીને જે મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારકા શારદા પીઠાધિશ્વર પૂજય શંકરાચાર્ય મહારાજ સદાનંદ સરસ્વતીજી એ તેમના કર કમળોથી કરેલી છે. તેવા ભૂરખીયા હનુમાનજી મહારાજની શિવકુંજ ધામે હનુમાન જયંતિની ઉજવણી તા.23ને મંગળવારના રોજ ખુબ જ  ભાવથી કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં દિવસે સુંદર કાંડ હોમ થશે અને વિક્રમ સંવત 164રમાં ભુરખીયા દાદાનું પ્રાગટય દામનગર પાસે ચૈત્રી પૂર્ણિમાને મંગળવારે રાત્રીના 12 વાગે થયું હતું તેથી મહાઆરતી રાત્રે 12 કલાકે થશે.

આ વર્ષે ઘણા વર્ષો બાદ ચૈત્રી પૂર્ણિમા મંગળવારના દિવસે આવતી હોઇ હનુમાનજીની ઉપાસના માટેનો ઉતમ યોગ પ્રાપ્ત થયો છે જેથી પૂર્ણિમાના દિવસે હનુમાન ચાલીસા અને સુંદર કાંડના પાઠ પણ આશ્રમ ખાતે યોજાશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj