► ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શીખંડ-છાસના સેમ્પેલ લીધા
તાલાલા, તા.19
તાલાલાના લાડુડી ગામે સાંજના સમયે લગ્નપ્રસંગના જમણવારમાં ભોજન લીધા બાદ 250 જેટલા જાનૈયા-માંડવીયાઓને ઝાડા-ઉલ્ટી થતા તમામને સારવાર માટે કોડીદ્રા, પડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલાલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવારમાં ખસેડાયા હતા. જેમાં હોસ્પિટલ કેન્દ્રમાં સારવારમાં ખસેડાયા હતા જેમાં હોસ્પીટલમાં બેડ ખુટી પડતા બાંકડા-જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી હતી.
માથાસુરિયા ગામે સોલંકીની દીકરીના લગ્નપ્રસંગ હોવાથી તાલાલાના લાડુડી ગામેથી જાન આવી હતી. સાંજના સમયે લગ્નપ્રસંગના જમણવાર બાદ અચાનક માંડવીયા અને જાનૈયાઓને ઝાડા-ઉલ્ટીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેથી 250થી વધુ લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઇએ જણાવ્યું હતું કે માથાસુરિયા ગામે મશરીભાઇ સોલંકીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો અને તાલાલા તાલુકાના લાડુડી ગામેથી જાન આવી હતી. ગત સાંજના લગ્ન પ્રસંગના જમણવાર બાદ માંડવીયા અને જાનૈયાઓને અચાનક ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા હતા. જેથી ફૂડ પોઇઝનીંગના અસરગ્રસ્ત વ્યકિતઓને કોડીદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલાલા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાવવામાં આવી હતી.
જ્યાં એક સાથે ફૂ પોઇઝનિંગના દર્દીઓ આવી પડતા હોસ્પીટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા અને તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાંકડા ઉપર અને જમીન ઉપર લોકોને સારવાર આપવાની ફરજ પડી હતી. સદનસીબે તમામ લોકો ભયમુક્ત છે અને તમામની તબિયત તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રાથમિક અનુમાન મુજબ જમણવારમાં છાસમાં કોઇ ઝેરી અસર હોવાના કારણે તમામ લોકોને અસર પહોંચી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જમણવારમાં રાખેલ શીખંડ અને છાસના સેમ્પલ લીધા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy