જુનાગઢ, તા. 2
જુનાગઢ ગિરનાર પર્વત પર 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા છેલ્લા ચાર દિવસથી રોપ-વે બંધ હોવાથી યાત્રાળુઓ નિરાશ થયા હતા. આજે પવનની ગતિમાં ઘટાડો થતા ચાર દિવસ બાદ ફરી રોપ-વે શરૂ થતાં યાત્રાળુઓએ રાહત અનુભવી છે.
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં દરરોજ દુર-દુરના અન્ય રાજયોમાંથી પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય અને ગિરનાર પર્વત પર માઁ અંબાજી, ગુરૂ દત્તાત્રેય મંદિરે દર્શન કરવા રોપ-વેની પણ સફર માણતા હોય છે.
સમયાંતરે પવનની ગતિમાં વધારો થતા રોપ-વે બંધ કરવામાં આવે છે. છેલ્લા ચાર દિવસ સુધી પવનની ગતિમાં વધારો રહેતા રોપ-વે સેવા બંધ રહી હતી. આજે પવનની ગતિ મંદ પડતા રોપ-વે શરૂ થતા પ્રવાસીઓ ખુશ થયા હતા અને રોપ-વેની સફર માણી આનંદ માણ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy