ત્રિશલાનંદન વીરના જન્મ વધામણાના પાવન અવસરે

રવિવારે જાગનાથ જિનાલયમાં ભવ્યાતિત મહાપૂજા, પરમાત્માની લાખેણી આંગી દર્શન: તૈયારીઓ પુરજોશમાં

Saurashtra | Rajkot | 19 April, 2024 | 04:13 PM
જિનાલયના રંગમંડપમાં રંગોળી: પરમાત્માને હીરા, માણેક, મોતી, પન્નાની ભવ્ય આંગી: ભકિત સંગીત, મહાઆરતી સહિતના દિવ્ય આયોજનો: જિનાલયને સુશોભન અને રોશનીની શણગાર: હજારો જૈન-જૈનેતરો લેશે દર્શનનો લાભ
સાંજ સમાચાર

રાજકોટ તા.19
 રાજકોટ જૈન તપગચ્છ સંઘ-રાજકોટ સંચાલિત શ્રી મહાવીર સ્વામી જિનાલય (જાગનાથ દેરાસર)માં તા.21મીના રવિવારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય મહાપૂજા, ભવ્ય આંગી દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
 જાગનાથ જિનાલયમાં મૂળનાયક રૂપે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન છે તેમ પ્લોટ દેરાસરમાં પણ મૂળનાયક રૂપે શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે પ્લોટ દેરાસરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિત આંગી રચાશે.
 

વિશિષ્ટતા
 જાગનાથ જિનાલયમાં ભવ્ય રોશનીનો શણગાર તથા દેવ વિમાનની અનુભૂતિ કરાવતું જાજરમાન મનમોહક સુશોભન કરાશે. જિનાલયના રંગમંડપમાં વીર પ્રભુના દ્દશ્યની રજૂઆત ભવ્ય રંગોળી દ્વારા કરવામાં આવશે.
 મૂળનાયક શ્રી મહાવીર સ્વામીને હીરા, મોતી, માણેક, પન્નાના જડતરની ભવ્ય અંગ રચનાના દર્શન ભાવિકો કરી શકશે.
 

ભકિત સંગીત
 જાગનાથ જિનાલયે સાંજે 7થી 11 સુધી ભકિત સંગીતનું આયોજન કરવામાં આવેલ છે.
 જૈન સમાજના જાણીતા ભકિતકારો શૈલેષભાઈ વ્યાસ, ધર્મેશભાઈ દોશી, નીલેશભાઈ ટોળીયા જૈન સ્તવનોની પ્રસ્તુતિ કરીને ભાવિકોને ભકિતમાં રસ તરબોળ કરશે.

સંગીતમય આરતી
 સંધ્યાકાળે સંગીતના સથવારે ભકિતમય વાતાવરણમાં વીર પ્રભુ, આદેશ્ર્વર દાદા તથા શ્રી માણિભદ્ર વીરની ભવ્ય આરતી યોજાશે.
 

ભવ્યાતિભવ્ય મહાપૂજા
 નવ નિર્મિત જિનાલયની ભવ્યાતિભવ્ય મહાપૂજાને પૂ.શ્રી બૌધ્ધિદર્શન વિજયજી મ. પોતાના આશીર્વચન- માંગલીક દ્વારા આપશે આ પ્રસંગે રાજકોટમાં બિરાજમાન સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતો દર્શનાર્થે પધારશે. 
મહાપૂજામાં જૈન શ્રેષ્ઠીઓ, દરેક સંઘોના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહીને પ્રભુ ભકિત તથા પ્રભુદર્શનનો લાભ લેશે. 
મહાપૂજાના મુખ્ય લાભાર્થી ગુલાબચંદ કિરચંદ લોદરીયા (હસ્તે રાજુભાઈ) પરિવાર છે. જયારે સહાયક દાતા શ્રીમતી ઈંદીરાબેન અનંતરાય કામદાર (જુલીયાના ફેશની તતા સ્વ. ભારતીબેન ભુપતલાલ લાઠીયા પરીવાર છે.
 

ભવ્ય આંગી
 જાગનાથ જિનાલયમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી, શ્રી આદિનાથ પરમાત્મા તથા અન્ય જિનબિંબોની ભવ્યાતિત આંગી કરવામાં આવશે.
 જિનાલયના રંગમંડપ તથા પ્રભુજીની આંગી રચનાના સુશોભન માટે શ્રેણિકભાઈ દોશીની આગેવાની હેઠળ રાજકોટ જૈન તપગચ્છ સંઘના યુવા ભાઈ બહેનો મહેનત કરી રહ્યા છે.
 

દર્શનનો સમય
 મહાપૂજા તથા આંગીદર્શનનો સમય સાંજના 6થી 12 સુધીનો રાખવામાં આવેલ છે.
 પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત રાજકોટમાં
 છેલ્લા દસ દિવસથી થતા વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતિ રૂપ 
શ્રી જાગનાથ જિનાલયની ભવ્યાતિભવ્ય મહાપૂજા, આંગી દર્શન તથા પ્રભુ ભકિતમાં રાજકોટના તમામ જૈન ફીરકાઓના ભાવિકો ઉપસ્થિત રહેનાર છે.
 

તૈયારીનો ધમધમાટ
 જાગનાથ જિનાલયમાં તા.21મીના રવિવારના યોજવામાં આવેલ મહાપૂજા તથા અન્ય દર્શનનો લાભ ભાવિકોને મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
 ઉપરોકત પ્રસંગે જૈન-જૈનેતરોને પધારવા રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ 
જીતુભાઈ ચા વાળા તથા તમામ ટ્રસ્ટીગણ, જાગનાથ જિનાલયના ક્ધવીનર એડવોકેટ તરૂણભાઈ કોઠારી, સહ ક્ધવીનર એડવોકેટ જયંતભાઈ મહેતા, ઈન્ચાર્જ દિલીપભાઈ ટોળીયાના માર્ગદર્શન હેઠળ, જિનાલય કમીટીના સર્વે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj