રાજકોય તા.25
ઉનાળાની ઋતુમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 40 ડીગ્રીને પાર જતા કાળઝાળ ગરમીમાં જનજીવન અને પશુપંખીઓ ઉપર માઠી અસર પડી છે. બપોરના સમયે હાઈવેમાં આકરા તાપથી વાહનોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
જામનગર
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનમાં એક ડીગ્રીનો વધારો નોંધાતા તાપમાનનો પારો 35 ડીગ્રીએ સ્થિર થયો હતો જો કે બપોર બાદ તેજીલા વાયરાનો દોર શરૂ થતા શહેરીજનોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી. જામનગરમાં મહતમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો છે જયારે બીજી તરફ લઘુતમ તાપમાનનો પારો 23થી 25 ડીગ્રીની વચ્ચે રહ્યો છે. શહેરનું મહતમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું હતું.
જયારે લઘુતમ તાપમાનનો પારો 24.5 ડીગ્રીએ સ્થિર થયો હતો. જયારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 9.8 કી.મી.ની રહી હતી.
સૌરાષ્ટ્રમાં રાજકોટ-અમરેલી જિલ્લામાં એક સરખી 40.5 ડીગ્રી ગરમીનું પ્રમાણ નોંધાયું છે. જયારે સુરેન્દ્રનગર 40.7, જામનગર 34.3, ઓખા 33.3, વેરાવળ 31.2, દ્વારકા 30.4, પોરબંદર 34.2, ભાવનગર 38.2 ડીગ્રી અને કચ્છના ભુજમાં 39.0 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જયારે ગુજરાત અમદાવાદ 40.8, બરોડા 40.6, છોટાઉદેપુર 40.2, દાહોદ 39.1, ડાંગ 40.9, ડીસા-39.4, નર્મદા 41.0, વલસાડ 36.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉનાળાની ઋતુમાં દિવસભર આકરા તાપથી જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરે લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી બચવા ટોપી, ચશ્મા, છત્રીનો સહારો લઈ રહ્યા છે. ઠંડા પીણા, આઈસ્ક્રીમ, જયુસ, છાસ, લસ્સી, અને શેરડીના રસની માંગ વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું પ્રમાણ ચાલુ સપ્તાહમાં યથાવત રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy