ઉના,તા.29
ગુજરાત અને હવે ભારત ભરમાં ગરીબ સામાન્ય વર્ગના ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓ ને પૈસા નાં અભાવે સારવાર થી વંચિત ન રહે તેવાં હેતુસર ભારત સરકાર દ્વારા પાંચ લાખ સુધીની મફ્ત સારવાર આયુષ્યમાન કાર્ડ ઊપર લઈ શકે તેવી યોજના અમલ માં મુકાયેલ હોય જેનાં કારણે લાખો પરીવાર આસાની સાથે ગમે તેવી બિમારી સામે મફત સારવાર મેળવી સંતોષ વ્યક્ત કરેછે આ સફળ યોજનાઓ પણ સોફ્ટવેર ડેટા એન્ટ્રી નાં કારણે નિષ્ફળ બની જાય છે ત્યારે ખરેખર જરૂરીયાત પરીવાર પારાવારીક વેદના સહન કરી રહ્યા હોવાનું પણ બહાર આવેલ છે ત્યારે ગંભીર રોગ થી પીડીતા દર્દી ને મદદરૂપ થવા માંગતા સરકારી તંત્ર નાં અધિકારી અને આરોગ્ય અધિકારી પણ લાચારી અનુભવતાં હોવાનું જોવાં મળી રહ્યું છે
ઊના થી 20 કિ મી દુર આવેલ સંજવાપુર ગામે રહેતાં બાબર સમાજ નાં ગરીબ પરીવાર ની મહિલા નિતાબેન મનસુખભાઇ તેમજ રાજેશભાઈ કરશનભાઈ બને એકજ ધર માં રહેતા પરીવાર નાં બે સભ્યો ને કેન્સલ જેવી ગંભીર બિમારી નો શિકાર બનતાં આ ગરીબ પરીવાર પર આભ તુટી પડ્યું હોય તેવો ધર માં માહોલ છવાયો હતો પરંતુ એક આશા નું કિરણ એ હતું કે પોતાનાં પાસે સરકારે આપેલ આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મેળવી લેશે પરંતુ જ્યારે સારવાર માટે આ ઉપરોક્ત દર્દી હોસ્પીટલમાં જતાં અને કાર્ડ આપતાં આ કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર ખુલ્યું નહીં અને દર્દી ને સારવાર લીધી વગર પરત ફરવું પડ્યું હતું
ધર નાં મોભી રાજેશ કરશનભાઈ તેમજ તેમનાં ભાઈ મનસુખભાઇ કામળીયા ઊના બ્લોક હેલ્થ ઓફિસર ડો વિપુલભાઈ ડુમર અને શહેરી બ્લોક હેલ્થ ઓફિસર પપાણીયા નો સંપર્ક કરતાં તેણે પણ આયુષ્યમાન કાર્ડ ઓપરેટિંગ કરવાં છ છ માસ સુધી મહેનત કરી રહ્યા છે પણ રાજ્ય નાં આરોગ્ય વિભાગ ની આયુષ્યમાન યોજના ની વેબસાઇટ કાર્ડ ઓપરેટ કરી રહ્યા છે પરંતુ ખુલતું નથી ચાર વખત વારંવાર ટીકીટ મોકલાવી અને જીલ્લા પ્રોજેક્ટ ઓફીસ ને આ બાબતે જાણ કરી તેણે પણ લાભાર્થી દર્દી ની વેદનાં નો ઉકેલ લાવવા મહેનત કરી રાજ્ય ની આરોગ્ય વિભાગ ની સાઈડ પર કાર્ડ ઓપરેટિંગ કરવાં પ્રયાસ કર્યો પણ સમસ્યા હલ નહીં થતાં લાચાર બની ગયાં હતાં આ દરમિયાન દર્દી ને પણ કેન્સર ની પીડા વધી રહી હતી એક ધર માં બે વ્યકિત ની ગંભીર રોગ ની મોંધી સારવાર કેમ લેવી?? આર્થિક સ્થિતિ ખરાબ હોવાનાં કારણે આ પરીવાર મુશ્કેલી માં મુકાયો છે.
ગરીબ પરીવાર નાં સામાન્ય વર્ગ નાં કમાતાં મોભી સભ્ય પોતાના રોજગાર છોડી આયુષ્યમાન કાર્ડ કેમ શરૂ કરાવું તેની ચિંતા હેઠળ ઊના વિસ્તાર નાં ધારાસભ્ય તેમજ પુર્વ ધારાસભ્ય, સાંસદ સભ્ય, જીલ્લા કલેકટર તેમજ આરોગ્ય વિભાગ નાં અધિકારી બ્લોક હેલ્થ ઓફિસર નિવૃત્ત મામલતદાર અને સહિત લાગતાવળગતા લોકો પાસે જઈને પોતાની પરિસ્થિતિ અને બે દર્દી ની વ્યથા સંભળાવી અને આ કાર્ડ શરૂ કરવાં ભલામણ કરી દર્દી ને તેની પીડામાંથી મુક્તિ અપાવવા પ્રયાસ કરેલ અને હાલમાં પણ કરી રહ્યા હોવાછતાં આયુષ્યમાન કાર્ડ નાં લાભ થી વંચિત રહેલાં બે કેન્સલ નાં દર્દી નું કાર્ડ શરૂ કરાવવા પરીવાર દરદર ભટકે છે છતાં સમસ્યા નો અંત નહીં આવતાં આ પરીવાર લાચાર બની ગયેલ હોવાનું જોવાં મળી રહ્યું છે.
જુનાગઢ જિલ્લાના આયુષ્માન પ્રોજેક્ટ અધિકારી કાતરીયા નો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ની આયુષ્યમાન યોજના અંતર્ગત એન્ટ્રી થયાં પછીજ આ પ્રશ્ર્નો હલ થશે હાલ માં આ સાઈડ ઓપન કરતાં લાભાર્થી ની વિગત ઓપરેટિંગ સિસ્ટમમાં થતી નથી એરર બતાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy