શ્રી હરિ... શ્રી હરિ; લંપટ સાધુઓ લીલા કરે ભોગવવાનું હરિભક્તોને...

વડોદરામાં ત્રણ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદનાં પગલે હરિભક્તોમાં નારાજગી

Gujarat | Vadodara | 13 June, 2024 | 05:08 PM
સુરત, ગઢડા, મુંબઇ, રાજકોટ સહિતના અનેક સ્થળોએથી હરિભક્તો વડતાલ મંદિરે પહોંચ્યા: સંતો ઉપર કંટ્રોલ મુકવા માંગણી ઉઠાવી
સાંજ સમાચાર

વડોદરા, તા.13
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવારે સાથે સ્વામી મંદિરે દર્શને જતા સ્વામીએ પિતાના ફોન નંબર મેળવી ગિફટ આપવાના બહાને સગીરાને બોલાવી બળજબરી કરી હતી.

ઉપરાંત પીડિતાને સ્વામીના વ્હોટ્સએપ ગ્રુપમાં ન્યુડ વીડિયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપી બીભત્સ વાતો કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે તા.7 જુનના રોજ વડોદરાના વાડી પોલીસ મથકમાં ભોગ બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. વડોદરામાં ત્રણ સ્વામી વિરુધ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુધ્ધના કાર્યો સહિતની બાબતોને લઇને આજે સુરત, ગઢડા, રાજકોટ, મુંબઇ, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરુચ સહિત સ્થળોએ હરિભક્તો વડતાલ સ્વામીનારાયણ મંદિરે આવી પહોંચ્યા છે.

હરિભક્ત સંદિપે જણાવ્યું કે, અમે સુરતથી આવ્યા છીએ. વડતાલમાં વહીવટ બોર્ડ કમિટીને અમે આવેદન આપવા આવ્યા છીએ. વડતાલના તાબાની અંદર વડોદરા અને ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યો થઈ રહ્યાં છે, એક સાધુ નાના બાળક જોડે ખરાબ કામ કરે છે, જ્યારે બીજા એક સાધુ બાથરૂમમાં એક બાળક સાથે ખરાબ કામ કરે છે. વડોદરા મંદિરના ત્રણ સાધુ એક છોકરી ઉપર દુષ્કર્મ ગુજારે છે તેમજ તેમને દબાવવા માટે ધાકધમકીઓ આપે છે.

આજ દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપર વડતાલ મંદિરનો કોઈ કંટ્રોલ નથી. રાકેશ પ્રસાદનો કોઈ કંટ્રોલ નથી. બની બેઠેલા મહાસભાના પ્રમુખનો પણ આના ઉપર કોઈ દબાવ નથી. નવત્તમ તો ખાલી પૂતળું છે પાછળના સંતોએ તેમને આગળ લાવી દીધા છે. પડદાની પાછળ અનીતિનાં કામો થઈ રહ્યાં છે. અમે વડતાલમાં આવેદન આપવા આવ્યા છીએ કે, આ જે જે ગુનામાં સંકયાયેલા સાધુઓ છે તેઓ પર કાયદેસરનાં પગલાં ભરવામાં આવે. તેઓને જેલની સજા થાય અને નિદોર્ષને ન્યાય મળે તેવી અમારી માંગ છે. 

હરિભક્ત હસુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આ સંપ્રદાયની અંદર દિવસે ને દિવસે લંપટ સાધુઓ વિશે સમાચારો આવે છે. આ લંપટ બાવાઓને સંપ્રદાયમાંથી કાઢો અને કાં સુધારો. મુંબઈ, સુરત. ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, અમરેલી સહિતમાંથી હરિભક્તો આવ્યા છે.હરિભક્ત શૈલેષ ચોડવડિયાએ જણાવ્યું કે, સાધુઓ બધી લીલાઓ કરે અને ભોગવવાનું હરિભકતોને અમે બહાર નીકળી ત્યારે બધા કહે છે જુઓ તમારા સ્વામીએ પરચો પૂર્યો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj