રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ પરસોતમ રૂપાલાના વિધાનોનો પડઘો રાજયભરમાં છે તેમાં હવે ભાજપના ક્ષત્રિય નેતાઓ માનવા લાગ્યા છે કે પક્ષના ઉમેદવાર જીતી જાય તો લીડ તો ઘટશે.
જુનાગઢ મત વિસ્તાર સુત્રાપાડા ખાતે યોજાયેલી ભાજપની સભામાં ક્ષત્રિય નેતા માનસિંહ પરમારે એવી હૈયાવરાળ ઠાલવી કે સતાની સામે મને પણ અનેક ફરિયાદો છે પણ અત્યારે આપણે વ્યકિતગત ફરિયાદો ભુલી જવાની છે.
આ તકે ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઇ બારડે એવું વિધાન કર્યુ હોવાનું માનવામાં આવે છે કે જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપની લીડ ઘટી શકે છે. આમ ભાજપના પેટમાં પણ ફફડાટ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy