રાજકોટ તા.1
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગરી દુભાય તેવી ટીપ્પણીનાં પગલે રોષીત ક્ષત્રિય રાજપૂત સમાજે અનેકવિધ પ્રકારે વિરોધ સાથે અસ્મિતાની લડાઈમાં ધર્મરથ ફેરવી સર્વ સમાજનું સમર્થન મેળવી સમગ્ર રાજયમાં ભાજપના ઉમેદવારોને હાર આપવા સંકલ્પ લીધો છે. ત્યારે રાજકોટ સહિત રાજયભરમાં ફરતા ધર્મરથનું કાલે સમાપન થનાર છે. જેમાં રાજકોટ જીલ્લામાં કાલે કાગવડ ખોડલધામ ખાતે ધર્મરથનું સમાપન થનાર છે.
ગત તા.24મી એપ્રિલના રોજ રાજકોટના આશાપુરા મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન થયા બાદ આ ધર્મરથ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તાલુકા, શહેરો અને ગામડાઓ ફરતા ઠેર ઠેર સ્થળોએ સર્વ સમાજે સ્વાગત સાથે બહેન-દિકરીઓની માન મર્યાદા કાજે પ્રચંડ સમર્થન ક્ષત્રિય સમાજને મળ્યું હતું. તાલુકા-ગ્રામ્ય વિસ્તારોમાં ધર્મરથ ફરી વળ્યા બાદ આજે વહેલી સવારથી શહેરના તમામ 18 વોર્ડમાં ધર્મરથ ફરતા અનેકવિધ સ્થળોએ સ્વાગત સાથે ધર્મ યુધ્ધની લડાઈમાં સમર્તન પુરૂ પાડયું હતું.
કાલે કાગવડ ખોડલધામમાં બપોરે માતાજીના જય જયકાર સાથે ધર્મરથનું સમાપન સાથે જાહેરમાં થતા વિરોધ કાર્યક્રમોને બદલે મતદાન થકી ભાજપના ઉમેદવારોને હરાવવાનું આહવાન શરૂ રહેશે. સંકલન સમિતિ અને રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ જરાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશે કરેલી ટીપ્પણી માફીને લાયક નથી. ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલા સહિત ભાજપના તમામ ઉમેદવારોને હરાવવા ચાલતી અસ્મિતાની લડાઈમાં ક્ષત્રિય સમાજે સામુહિક એકી અવાજે વિરોધ પ્રગટ કર્યો છે.
ધર્મયુધ્ધની લડાઈમાં ગત તા.24મીથી સમગ્ર રાજય સહિત રાજકોટમાં ધર્મરથને પ્રસ્થાન કરાવ્યું હતું. જે તમામ તાલુકા-ગ્રામ્ય વિસ્તારો ફરી આજે રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ધર્મરથ ફરી વળ્યો છે કાલે બપોરે કાગવડ ખોડલધામ ખાતે ધર્મરથનું સમાપન કરવામાં આવશે. સંકલન સમિતિના નિર્ણય મુજબ કોઈપણ સ્થળે વડાપ્રધાના જાહેરસભા સ્થળે દેખાવો કરવામાં આવશે નહીં હવે મતદાનના દિવસે ક્ષત્રિય રાજપૂત સમાજ મોટી સંખ્યામાં ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરે તેવી ઝુંબેશ શરૂ રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy