(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર તા.16
ભાવનગર ભાવનગરમાં ભાજપની સભા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા પ્રવચન કરતા હતા તે દરમિયાન કાળા વાવટા સાથે ખસી આવેલા ટોળા ને કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પોલીસે દેખાવકારો નીધરપકડ કરી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર માં આજે ના લોકસભાના ઉમેદવાર ડ નિમુબેન ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા જંગી જ સભાઈ યોજાઈ હતી. સભામાં જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ પ્રવચન શરૂ કર્યું તે દરમિયાન અચાનક જ કાળા વાવટા સાથે યુવાનો ઘૂસી આવી અને સૂત્રોચાર કરતા ભારે હંગામો મચી ગયો હતો. એક યુવાન તો સ્ટેજ પર પણ ચડી ગયો હતો અને જય રાજપુતાના ચેવું બોલ્યો હતો.
ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો. ક્ષત્રિય યુવાનોએ સભામાં જ વિરોધ નોંધાવ્યો હતો. મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું.
ચાલુ સભામાં જ તળાજા ભાજપના યુવામોરચાના ઉપાધ્યક્ષે રાજીનામુ આપ્યું
ક્ષત્રિય યુવાનોએ સભામાં અચાનક આવી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં તળાજા તાલુકાના ભાજપના યુવામોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં જ બ્લેક કપડાં પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy