રાજકોટ, તા.4
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા માટે આવતીકાલે તા.5 ને રવિવારે ગોંડલમાં ક્ષત્રિય સંમેલન આયોજિત કરવામાં આવેલ છે.
ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ,કારડીયા રાજપૂત ,નાડોદા રાજપૂત, સોરઠીયા રાજપૂતને ખાંટ રાજપૂત સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે.. ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડીએ આ સંમેલન યોજાશે. જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજાશે. ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ,કારડીયા રાજપૂત ,નાડોદા રાજપૂત, સોરઠીયા રાજપૂતને ખાંટ રાજપૂત સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે બાવળાના ગામડાઓમાં પરિભ્રમણ કરી ક્ષત્રિય સમાજના ધર્મરથનું ધોળકાના ચંડરીસર ગામે ફરીને ધોળકાના ચંડીસર ગામે ક્ષત્રિય સમાજના ધર્મરથનું હતું. જેમાં મોટી સમાપન કરાયું હતું. જ્યાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર ક્ષત્રિય અને અન્ય સમાજના લોકોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા મા ભવાનીના સોગંદ લઈ પ્રતિજ્ઞા પણ લીધી હતી. સંમેલનમાં હાજર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના પીએમઓમાં મે જાતે ફોન કરી રૂપાલાની ટિકિટ રદ કરવા કહ્યું હતું. પરંતું ભાજપે ટિકિટ રદ ના કરી, એમને એમ હતું કે, આ સમાજ ક્યારેય ભેગો નહીં થાય અને સમાધાન થઈ જશે. તેમની રણનીતિ ઊંધી પડી છે અને સમાજ એક થઈ ગયો છે.
આ સમાજ તેનો જવાબ સાત તારીખે અને આવનારા દિવસોમાં આપશે. આ સંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો અર્જુનસિંહ ગોહિલ, કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂપાલાનું નિવેદન ભાજપને નડશે. જામનગરના જામસાહેબે વડાપ્રધાનનું સન્માન કર્યું છે એમાં અમે કોઈ સમાધાન નથી કર્યું. અમે આમાંથી હટી જઈએ તો પણ સમાજ મા-બહેનોની અસ્મિતા માટે ક્યારેય સમાધાન નહીં કરે. આ આપણા નાકનો સવાલ છે અને તેનો પડઘો મતદાનમાં પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy