જામનગર,તા.27
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં ક્ષત્રિય યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર માટે શહેરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જયા પ્રાથમિક કારણમાં મકાનનું મનદુ:ખ કારણ ભૂત હોવાનું અને પાડોશીના ત્રાસના કારણે આ પગલું ભરી લીધા નું અનુમાન કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ વજુવા ચુડાસમા નામના ત્રીસ વર્ષના ક્ષત્રિય યુવાને ગત સાંજે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક વિગત મુજબ ભોગ ગ્રસ્ત ક્ષત્રિય યુવાન જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેનના કારના ડ્રાઇવર તરીકે કામ કરતો હોય ઉપરાંત તે ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં મકાન બનાવતા હોવાનું ખુલ્યું છે. જે પ્રકરણમાં 3 થી 4 લોકોના કથિત ત્રાસથી આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.
આ અંગે જાણ થતાં પીએસઆઇ એન.પી. જોશી તથા એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ સહિતનો સ્ટાફ જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ઝેરી દવા પી લેનાર યુવાન બેશુદ્ધ અવસ્થામાં હોવાથી તેના ભાઈનું નિવેદન નોંધ્યું હતું.
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર ભરતસિંહને પાડોશી સાથે મકાન બાબતે મનદુ:ખ ચાલતું હોવાથી તેના ત્રાસના કારણે ઝેર પી લીધું હોવાનું અનુમાન લગાવાયું છે. આ મામલે જાણ થતા સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy