રાજકોટ,તા.4
રાજકોટ-સુરેન્દ્રનગર અને અમરેલીમાં સૂર્યદેવ કાળઝાળ બન્યા હોય તે રીતે ગઈકાલે કાળઝાળ બન્યા હોય તે રીતે ગઈકાલે 42 ડિગ્રીને પાર તાપમાન નોંધાયુ હતું.અમરેલીમાં 42 તથા રાજકોટ-સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
આ ઉપરાંત વડોદરામાં 40.8 ભાવનગરમાં 38.8, ભુજમાં 40.6, છોટા ઉદેપુરમાં 40.6, દાહોદમાં 39.3, ડાંગમાં 39.4, ડિસામાં 40.8, ગાંધીનગરમાં 41.2 તથા નર્મદા ખાતે 38.7 ડિગ્રી પોરબંદરમાં 36.4, અને વેરાવળ ખાતે 33.2 ડિગ્રી,મહત્તમ તાપમાન નોંધાયું હતું.જયારે જામનગરમાં આજે સવારથી સૂર્યનારાયણ આકરો મિજાજ બતાવ્યો હતો.
જો કે પવનની ગતિ 10.8 કિમિ હોય ગરમીમાં લોકોને થોડી રાહત અહેસાસ થતો હતો.જો કે મહતપ તાપમાનનો પારો 37.5 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ 83 રહેતા બફારાનું પ્રમાણ બપોરના સમયે વધે તેવું વાતાવરણ સર્જાયુ હતું.
જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરુમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે મહતપ તાપમાન 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયો હતું.
તો પવનની ગતિ પ્રતિકલાક 10.8 કિમિ નોંધાઇ હતી. જામનગરમાં આવતીકાલ સુધી હવામાન સૂકું અને અંશત: વાદળછાયું રહેવાની કૃષિ વિભાગે આગાહી કરી છે. જો કે ઉનાળાનો અસલ મિજાજ બપોરે સમય ગરમીથી લોકો પરસેવે રેબજેબ થઈ જાય છે. આકરા તાપના કારણે બપોરે લોકોની ચહલપહલ ધટી જાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy