નવીદિલ્હી તા.6
લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ દેશભરમાં જામ્યો છે ત્યારે અબકી બાર 400 બારના આત્મ વિશ્ર્વાસ સાથે મોટી બહુમતીથી ત્રીજી વાર ચૂંટાઈ આવવાનો આત્મવિશ્ર્વાસ ધરાવનાર પીએમ મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળની પણ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ત્રીજા કાર્યકાળનું વિઝન ડોકયુમેન્ટ પણ તૈયાર કરી નાખ્યું છે જો મોદી સરકાર આ વખતે લોકસભા 2024માં બહુમતીથી ચૂંટાઈ આવે તો દુનિયાભરમાં ભારતીય મિશનોની સંખ્યા 20 ટકા વધારી 150 ટકા કરવામાં આવશે.
હાલના મંત્રાલયોની સંખ્યા ઘટાડાશે. પાયાના માળખામાં વધુ ખાનગી રોકાણ, અદાલતોમાં પેન્ડીંગ કેસોનો નિકાલ, 2047 માટે લક્ષ્ય પર ફોકસ, નિકાસમાં ભાગીદારી વધારવા, બુઝર્ગો માટે પેન્શનનું ક્ષેત્ર વધારવા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોદી સરકારના ત્રીજા રાઉન્ડમાં ઈ-વાહનોના વેચાણમાં વધારો, પ્રાથમિકતા વાળી પરિયોજનાઓ માટે ભૂમિ અધિગ્રહણ માટે એક તંત્ર વિકસિત કરવવાનું પણ સામેલ છે.
વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારી
કેબિનેટ સચિવ દ્વારા બોલાવવામાં આવેલ બેઠકોમાં ચર્ચા માટે એક મુસદા પત્રમાં 2030 સુધી પેન્શન લાભ વાળા વરિષ્ઠ નાગરિકોની ભાગીદારીને 22 ટકાથી બે ગણીથી 50 ટકા કરવાનો પ્રસ્તાવ છે. મહિલાઓની વર્કફોર્સમાં ભાગીદારીને 37 ટકાથી વધારીને 50 ટકા કરવાનું છે જે વર્તમાન વૈશ્ર્વિક સરેરાશ 47 ટકાથી વધુ છે. ઈ-વાહનો પર જોર દઈ આ વાહનોના વેચાણમાં ભાગીદારીને 7 ટકાથી વધારીને 30 ટકાથી વધુ કરવાનું લક્ષ્ય સ્પષ્ટ છે.
આ બાબતો પર રહેશે ફોકસ
દુનિયાભરમાં ભારતીય મિશનોની સંખ્યા 20 ટકા વધારીને 150 કરાશે. આ ઉપરાંત હાલમાં 54 મંત્રાલય છે, તેની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં અદાલતોમાં પેન્ડીંગ કેસ 5 કરોડથી ઘટાડીને 1 કરોડથી ઓછા કરવાનું લક્ષ્ય છે. મોદી સરકારના ત્રીજા રાઉન્ડમાં નીચલી ન્યાયિક પ્રણાલીમાં કેસોના નિકાલના સમય 2184 દિવસને ઘટાડીને 1000 દિવસ કરવામાં આવશે.
આગામી 6 વર્ષમાં ન્યાયપાલિકામાં ખાલી જગ્યાઓમાં 22 ટકા ઘટાડીને 10 ટકાની યોજના છે. હાઈકોર્ટમાં કેસોમાં 2030 સુધીમાં વર્તમાન 1128 દિવસના કેસના નિકાલના સમયને ઘટાડીને 400 દિવસનો કરવાનું લક્ષ્ય છે. જેના માટે અદાલતોમાં વધુ ન્યાયાધીશની જરૂર પડશે. આગામી 6 વર્ષમાં ન્યાયપાલિકાઓમાં ખાલી જગ્યાઓ 22 ટકા ઘટાડીને 10 ટકા કરવાની યોજના છે.
2047 માટે લક્ષ્ય પર ફોકસ
ધ્યાન 2030 માટે મધ્યમ સમયગાળાના લક્ષ્ય અને 2047 માટે દીર્ધકાલીક લક્ષ્ય નિર્ધારિત કરવાના છે. હાલમાં જીડીપીના 2.4 ટકાથી 3 ટકા સુધી રક્ષા ખર્ચ વધારવા અને અનુસંધાન તેમજ વિકાસ માટે રક્ષા બજેટની ભાગીદારીને 2 ટકાથી વધારીને 3 ટકા કરવા પર પણ ચર્ચા ચાલી રહી છે. વિઝન દસ્તાવેજમાં આ સમયગાળા દરમિયાન વિશ્વવ્યાપી હથિયાર આયાતમાં ભારતની ભાગીદારી અડધી કરવાની પરિકલ્પના કરાઈ છે. આથી લાગે છે કે સરકાર રક્ષા ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને બે ગણું કરવાનો ઈરાદો રાખે છે.
જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રની ભાગીદારી
આર્થિક મોરચે લક્ષ્ય ઓટોમોબાઈળ, કપડાં, ફાર્મા, પર્યટન અને સેવાઓ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવા અને વિનિર્માણ અને નિકાસની ભાગીદારી વધારવાનો ઈશારો કરે છે. 2030 સુધીમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં જીડીપીનું યોગદાન 28 ટકાથી 32.5 ટકા કરવાનું લક્ષ્ય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy