રાજકોટ,તા.22
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે ઓખા-પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રુટ પર દોડશે. (1) 1, 8 અને 15 મે ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નં 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા - બલ્હારશાહ - વિજયવાડા - વિશાખાપટ્ટનમ - ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વર્ધા - નાગપુર - રાયપુર - ટિટિલાગઢ - રાયગઢ - વિજયનગરમ - ખુર્દા રોડ ના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર -બલ્હારશાહ - સિરપુર કાગઝનગર - મંચિર્યાલ - રામગુંડમ - વારંગલ - વિજયવાડા - એલુરુ - રાજામુડ્રી - સામલકોટ - અનકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.
(2) 28 એપ્રીલ , 5 અને 19 મે ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નં 20819 પુરી - ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ - વિશાખાપટ્ટનમ - વિજયવાડા - બલ્હારશાહ - વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા ખુર્દા રોડ - વિજયનગરમ - રાયગઢ - ટિટિલાગઢ - રાયપુર - નાગપુર - વર્ધા ના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ - અનકાપલ્લી - સામલકોટ - રાજમંડ્રી - એલુરુ - વિજયવાડા - વારંગલ - રામગુંડમ - મંચિર્યાલ - સિરપુરકાગઝનગર - બલ્હારશાહ - ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.
ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www. enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy