રાજકોટ, તા.27
નિધિ સ્કૂલ અને સી. જે. ગ્રુપ દ્વારા રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ અને સાંઈનાથ હોમિયોપેથી હોસ્પિટલના સહયોગથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું તા.28 ને રવિવારના રોજ સવારે 9 થી 12 દરમિયાન "નિધિ સ્કૂલ", ભારતી નગર શેરી નં. 2, રામાપીર ચોકડી પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક નિદાન કેમ્પમાં હોમિયોપેથીક સારવાર માટે ડો. હિતાર્થ મહેતા, ડો. માધવી વાગડિયા, ડો. રોમલ પદસુંબીયા, ડો. અલ્ફેઝ કુરેશી તેમજ દાંતના નિષ્ણાંત નીતાબેન ટાંક, ફિઝિયોથેરાપીમા વૈશાલી મકવાણા, તેમજ લેબોરેટરીની સુવિધામાં દયાબેન હિરપરા સેવા આપશે. આ કેમ્પમાં પેટના દર્દો, સ્ત્રી રોગો, સંધિવા, સાયટીકા, ચામડીના રોગો, કિડનીના રોગો, આંખના રોગો, વગેરે દર્દોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવશે, તેમજ નિ:શુલ્ક દવા આપવામાં આવશે. આ સાથે વોર્ડ નં.1 માં રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સેવાકીય ક્ષેત્રે વગેરેના નારી રત્નોનું સન્માન પણ કરવામાં આવશે. જેમાં દુર્ગાબા જાડેજા, સેજલબેન ચૌધરી, જલ્પાબેન દતાણી, હર્ષાબા જાડેજા, મયુરીબા પરમાર, જ્યોતિબેન હિંગુ, કોમલબેન પરમાર, વગેરેનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વોર્ડ નં. 1ના કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, ડો. અલ્પેશભાઈ મોરઝરીયા તેમજ વોર્ડના અગ્રણીઓ કાથડભાઈ ડાંગર, જયદીપસિંહ જાડેજા, કાનાભાઈ ખાણધર, લલીતભાઈ વાડોલીયા ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નિધિ સ્કૂલના યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, નીરવ વ્યાસ, ભૂમિ વાઘેલા અને અંજના ચતલિયા તેમજ સી.જે. ગ્રુપના ચિરાગભાઈ ધામેચા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy