રાજકોટ,તા.17
રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની રાજપૂત સમાજની ટીપ્પણી સામે મેદાનમાં ઉતરેલા પદમીનીબા વાળાની ઉપવાસથી તબીયત લથડતા તેમને પારણા કરાવવામાં આવ્યા હતા ત્યારે પદમીનીબા વાળાએ ફરી સંકલન સમિતિ સામે નિશાન તાકયુ છે. સાથે એવા પણ આક્ષેપ કર્યો છે કે સંકલન સમિતિ ક્ષત્રીય સમાજને ગેરમાર્ગે દોરે છે.
પદમીનીબા વાળાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે સંકલન સમિતિ ભલે મને સાઈડ લાઈન કરે મારી લડત ચાલુ રહેશે.અમે અમારા સમાજના થતા અન્યાય સામે લડતમાં નીકળ્યા ત્યારે સમાજ અમારી સાથે અન્યાય કરે તો શું કરવું?
સંકલન સમિતિના 300 બહેનોએ ફાર્મ ભરવાના હતા જે હજુ ભર્યા નથી આ મારી વ્યકિત લડાઈ નથી સમગ્ર રાજપૂત સમાજની છે. આંદોલનને રાજકિય રૂપ ન આપવું જોઈએ સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દારે છે. તેવું ન થવું જોઈએ હું સંકલન સમિતિની સાથે નથી અને ભવિષ્ય પણ નહી રહુ મારો સમાજ કહેશે તે માનીશ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy