આજે રામનવમી દિવસે રાજકોટમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે
અને દોઢસો ફુટ રીંગરોડમાં નાણાવટી સર્કલ પાસેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો તે સમયે રામલલ્લાના દર્શન કરવા અને પ્રભુ રામ પાસેથી આશિર્વાદ લેવા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પણ પહોંચ્યા હતા અને તેઓએ ભગવાન શ્રીરામની પ્રતિમાને ફુલહાર ચડાવીને વંદન કર્યા હતા.
આ શોભાયાત્રા આજે પુરો દિવસ શહેરમાં ફરશે. તેમની સાથે સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના ભાજપના અગ્રણીઓ પણ જોડાયા હતા અને વાતાવરણ જયશ્રીરામના નારા સાથે ગુંજી ઉઠયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામના ભકતોની મોટી સંખ્યા ઉપસ્થિત રહી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy