રાજકોટ,તા.16
આજરોજ પરસોતમ રૂપાલાએ લોકસભાની ચુંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું હતું. આ તકે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરસોતમ રૂપાલાને શુભકામનાઓ પાઠવી હતી.
વિજયભાઈ રૂપાણી જણાવે છે કે, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં આજરોજ પરસોતમ રૂપાલાજીએ ઉમેદવાર ફોર્મ ભર્યુ છે. રાજકોટની જનતા પર પુરો વિશ્ર્વાસ છે કે પરસોતમ રૂપાલાને જ વિજય બનાવશે. ક્ષત્રિય સમાજના વિવાદ અંગે વધુમાં તેઓએ જણાવ્યું કે, આજે રૂપાલા સાહેબે પોતાના પ્રવચનમાં વિનંતી કરી ક્ષત્રિય સમાજનો સહયોગ માંગ્યો છે.
ગાંધીનગર ખાતે વાટાઘાટો ચાલી રહ્યા છે. રસ્તો વાટાઘાટોથી જ નિકળે છે. આ અંગે પણ ચોકકસ નિર્ણય ટુંક સમયમાં આવશે. ક્ષત્રિય સમાજ દેશના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેશે.
કોંગ્રેસના નીતિ અંગેના નિવેદન પર વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આ વખતે કોઈ ઉમેદવારના જાતિ-જ્ઞાતિ મહત્વની નથી. લોકો મોદીને 3જીવાર વડાપ્રધાન બનાવવા માંગે છે. 10 વર્ષમાં મોદીજીએ આદેશને ઘણો આગળ વધાર્યો છે અને વિકાસ કર્યો છે. આ વાતને ધ્યાને રાખી લોકો કમળને જ મત આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy