નવી દિલ્હી: વિશ્વભરમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2020 થી 2024 સુધીના ગાળામાં બમણા થવાની આશંકા છે. ‘ધ લેન્સેટ કમિશન’એ જણાવ્યું હતું કે સૂચિત ગાળામાં આ રોગથી થનારા મૃત્યુની સંખ્યામાં 85 ટકા ઉછાળો નોંધાશે.જેની સૌથી વધુ અસર નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર થવાની શકયતા છે.
રિસર્ચનાં જણાવ્યા અનુસાર કેસોમાં ઉછાળો નિશ્ચિત છે.નિદાન નહીં થવાથી તેમજ ડેટા કલેકશનનાં અભાવે પ્રોસ્ટેટ કેન્સરનાં કેસની વાસ્તવિક સંખ્યા ઘણી ઉંચી રહેવાની શકયતા છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર વિશ્વમાં લોકોની વધતી જતી વય અને સરેરાશ આયુષ્યમાં વૃધ્ધિને કારણે વૃદ્ધ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર વધશે. રોગ માટે 50 કે એથી વધુ વય રિસ્ક ફેકટર હોવાથી જીવન શૈલીમાં ફેરફાર કે જાહેર આરોગ્યમાં સુધારો પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ઉછાળાને અટકાવી નહીં શકે.
લેન્સેટ કમિશનના મુખ્ય રિસર્ચર નિક જેમ્સે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં આધેડ અને વૃદ્ધ પુરૂષોની સંખ્યા વધી રહી છે. ત્યારે પ્રોસ્ટેટ કેન્સરના કેસમાં વધારો નિશ્ચિત છે. આપણે અત્યારથી આ વાત જાણીએ છીએ અને એટલે આગોતરા પગલા જરૂરી છે.નિક જેમ્સ લંડનના ધ ઈન્સ્ટીટયુટ ઓફ કેન્સર રિસર્ચનાં પ્રોફેસર છે. કમિશને લોકોને પ્રોસ્ટેટ કેન્સર અંગે શિક્ષિત અને જાગૃત કરવા સાથે તેના વહેલા નિદાન પર ભાર મુકયો હતો.
જેથી આગામી વર્ષોમાં લોકોનું જીવન બચાવી શકાય. જેમ્સે જણાવ્યુ હતું કે, આગામી સમયમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસની વૃધ્ધિમાં નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોનો મોટો હિસ્સો હશે. રિચર્સનાં જણાવ્યા અનુસાર પુરૂષો અને તેમના પરિવારોમાં હાડકાના દુ:ખાવા જેવા મેટાસ્ટેટીક પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો અંગે નહીંવત જાગૃતિ હોવાથી તેનું વહેલુ નિદાન થઈ શકતુ નથી.
મુંબઈનાં આર્શીવાદ ઈન્સ્ટીટયુટ ફોર પેઈન મેનેજમેન્ટ એન્ડ રીસર્ચનાં ડીરેકટર ડો.લક્ષ્મીવસે જણાવ્યું હતું કે પ્રોસ્ટેટ કેન્સરમાં કરોડરજજુનો દુ:ખાવો મુખ્ય લક્ષણોમાનુ એક છે. અન્ય દુ:ખાવો પેશાબ કરતી વખતે થતો હોય છે. ઓછા લોકો જાણે છે કે પ્રોસ્ટેટ કેન્સરનાં દર્દી સારવાર દ્વારા લાંબૂ જીવન જીવી શકે છે. આવા દર્દીઓ માટે હોર્મોન થેરાપી અસરકારક છે અને વ્યાજબીદરે ઉપલબ્ધ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy