જુનાગઢ તા.27
લોકસભા તેમજ માણાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં જુનાગઢ એસટી ડીવીઝનની 49 બસોની ફાળવણી કરવામાં આવશે જયારે આગામી 2જી મેનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુનાગઢ કાર્યક્રમ માટે હજુ કોઈ ડીમાન્ડ ન આવ્યાનું જુનાગઢ ડીવીજનલ કંટ્રોલર એમ.બી. રાવલે જણાવ્યું છે.
મતદાન પૂર્વે જુનાગઢ જીલ્લામાં આવેલા મતદાન મથકો સુધી ઈવીએમ મશીન, વીવીપેટ સહિતની મતદાનની સામગ્રી પહોંચતી કરવા માટે દર વખતે જુનાગઢ બહાઉદ્દીન કોલેજથી ઈવીએમ મશીન સહિતની તમામ સામગ્રી ચુંટણીમાં જોડાયેલા અધિકારીઓને સોંપવામાં આવેલ હોય છે. જે સામગ્રી એસટી બસમાં લઈ જવામાં આવે છે.
બાદ મતદાન પૂર્ણ થયા બાદ તેને સ્ટ્રોંગ રૂપ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત નીચે ઈવીએમ મશીન લઈ જવાના હોય તેને સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવે છે તે સેવામાં એસટીની 49 બસોને મુકવામાં આવશે તેમ જુનાગઢ એસટી ડીવીઝનના ડીવીઝનલ કંટ્રોલર એમ.બી. રાવલે જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy