રાજકોટ, તા.27
રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ સંચાલીત સાંઈનાથ હોમિયોપેથીક હોસ્પિટલ તેમજ સી.જે.ગ્રુપ દ્વારા આવતીકાલ તા.28 ને રવિવારના રોજ સવારે 9 થી 12 દરમ્યાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું નિધિ સ્કુલ, 2 ભારતીનગર, રામાપીર ચોકડી પાસે, ગાંધીગ્રામ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હોમિયોપથીક દવાઓ તથા નિ:શુલ્ક લોહીની તપાસ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિતાર્થ મહેતા, ડો. માધવી વાગડીયા, ડો. નિરવ ગણાત્રા, ડો. અલ્ફીસ કુરેશી, ડો રામલ પડસુંબીયા તેમજ દંત ચિકીત્સક ડો.નિતાબેન ટાંક અને ફિઝીયોથેરાપીસ્ટ ડો.વૈશાલી મકવાણા, લેબોરેટરીની સુવિધામાં દયાબેન હિરપરા સેવા આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy