વડાપ્રધાનના જામનગર પ્રવાસ દરમ્યાન રાજપુત સમાજ વિરોધ પ્રદર્શન નહી કરે

Saurashtra | Jamnagar | 01 May, 2024 | 03:55 PM
ક્ષત્રિય સમાજની સંસ્થાઓની બનેલી સંકલન સમિતિએ આજે બપોરે પત્રકાર પરિષદમાં કરી જાહેરાત: અતિથિનો વિરોધ ન કરવાની પરંપરા જાળવવા સમાજના લોકોને અપીલ: આ એક દિવસને મુકીને બાકીના દિવસોમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત સાથે શુક્રવારે યોજાનાર મહાસંમેલનમાં ઉમટી પડવા સમાજના લોકોને કરાયો અનુરોધ
સાંજ સમાચાર

જામનગર તા.1
લોકસભાની ચૂંટણીનો હાલાર પંથકમાં બરોબરનો માહોલ જામ્યો છે. આવી સ્થિતિ વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના મહેમાન બની રહ્યાં છે. જેઓ સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભા સંબોધશે. એક બાજુ હાલારના વડાપ્રધાનનું આગમન અને બીજી બાજુ રાજપૂત સમાજ દ્વારા રૂપાલા નિવેદનને લઇ વિરોધનો પ્રચંડ સુર ફેલાઇ રહ્યો છે.

ત્યારે આજે ગુજરાત ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિત્તિ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં મીડિયા સમક્ષ મહત્વની જાહેરાત કરી વડાપ્રધાનના કાર્યક્રમ વેળાએ કોઇ વિરોધ પ્રદર્શન નહીં કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિત્તિના નેજા હેઠળ આજે જામનગરના મહારાણા પ્રતાપના પૂતળા નજીક આવેલ રાજપૂત સમાજ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં પત્રકારોને માહિતી આપતા જણાવાયું હતું કે, જામનગર- દેવભૂમિ દ્રારકા જિલ્લા માં પણ આ આંદોલન લોકશાહી ઢબે શાંતિ થી ચાલી રહ્યું છે આવતી કાલ ના 02/05/2024 ના રોજ જામનગર ખાતે દેશ ના માન્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ચુંટણી સભા ને સંબોધન કરવા પધારી રહ્યા છે ત્યારે અમો સંકલન સમિતિ એ વડાપ્રધાન પદ ની ગરિમા જળવાય રહે વડાપ્રધાન પદ નું સન્માન જળવાય રહે તેવા શુભ આશય થી વડાપ્રધાનશ્રી ના કાર્યક્રમ ના કોઈ પણ પ્રકાર નો વિરોધ પ્રદશન ન કરવાનો સર્વ નું મતે નક્કી કરેલ છે.

આંદોલન માં પુરા જોમ જૂષા થી જોડાયેલા સર્વે યુવાનો બહેનો ને વડાપ્રધાન ના રૂટ પર કે કાર્યક્રમ સ્થળ ની આશપાસ ક્યાય પણ વિરોધ પ્રદશન ના કાર્યકોમો ન કરવા માટે અને શાંતિ જાળવવા માટે હાર્દિક વિનતી સાથે નમ્ર અપીલ કરવા માં આવે છે ક્ષત્રિય સંસ્કાર અને ખાનદાન ના રીત રીવાજ મુજબ મેમાનો નું માન સન્માન જાળવવું અને મહેમાનો નું આદર સત્કાર કરવી એ ક્ષત્રિય સમાજ ની પરંપરા હોય એ પરંપરા નું ચુસ્ત પણે પાલન કરી ને કોઈ એ આ દિવસે વિરોધ પ્રદશન કે સુત્રોચાર કરવા નઈ તેમજ આવતી કાલ 2 મે ના રોજ આખો દિવસ શાંતિ પૂણ માહોલ જળવાય રહે તે પ્રકાર નો સંયમ અને શિસ્ત જાળવવા સંકલન સમિતિ તમામ આંદોલન કરી ભાઈઓ બહેનોને અપીલ કરે છે.

આપણો આ અંદોલન તારિખ 07/05/2024 ની સાંજ સુધી લોકશાહી ઢબે ચાલુ જ રાખવાનો છે તેમજ હવે વિરોધ પ્રદશનને બદલે મતદાન મથક પર લોકશાહી ઢબે વધુમાં વધુ મતદાન ભાજપ પક્ષની વિરૂધ્ધમાં થાય તે માટે તડામાર તૈયારી ચાલી રહી છે. આ ઉપરાંત તા.3મે શુક્રવારના રોજ યોજનાર ક્ષત્રિય મહાસંમેલનમાં રાજપુત સમાજના લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા પણ અનુરોધ કરાયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj