ચમોલી,તા.2
બદ્રીનાથ ધામનાં કપાટ 12 મેના રોજ શ્રધ્ધાળુઓ માટે ખુલશે. જિલ્લા પ્રશાસન યાત્રા સાથે જોડાયેલા વિભાગો સાથે ચારધામ યાત્રાની તૈયારીઓમાં લાગ્યુ છે. યાત્રા માર્ગને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે સડક માર્ગનું સુધારીકરણ અને હાઈવે પરથી કાટમાળના નિકાલનું કામ ચાલુ છે. બદરીશપુરીમાં શ્રધ્ધાળુઓ માટે વીજળી, પાણી, રાત્રી વિજ્ઞાન સહીત મુળભૂત સુવિધાઓ બહાલ કરવામાં આવી રહી છે.
બદરીનાથ ધામમાં નારાયણનાં દર્શનને વધુ સુગમ બનાવવા માટે નવો આસ્થા પક્ષ તૈયાર થઈ ગયો છે. અહી સાકેત તિરાહાથી નવો આસ્થા પથ બનાવવામાં આવ્યો છે. જેથી શ્રધ્ધાળૂઓને ઘણી સુવિધા મળશે.
બદરીનાથ ધામની યાત્રાને સુગમ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે જિલ્લાધિકારીનાં માર્ગદર્શનમાં સંબંધિત વિભાગો પોતપોતાની તૈયારીઓમાં લાગ્યા છે. નગર પંચાયત દ્વારા ધામમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે સફાઈ વ્યવસ્થા પણ શરૂ કરાઈ છે.
વામણી ગામથી બદરીનાથ મંદિર સુધી પહોંચવા માટે પણ લગભગ 300 મીટર નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહી રીવર ફ્રન્ટનાં કાર્યથી જુનો રસ્તો ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.
બદરીનાથ ધામ પરિસરની આજુબાજુ હોટેલ, ધર્મશાળા અને આવાસીય મકાન હતા. હવે તેમને હટાવી દેવાયા છે. નગર પંચાયતનાં 45 પર્યાવરણ મિત્ર બદરીનાથ ધામ પહોંચી ગયા છે. ધામમાં આંતરિક માર્ગોનાં નિર્માણનું કામ કરવામાં આવી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy