(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.16
તળાજા નગર ઐતિહાસિક નગર તરીકે ઓળખાય છે ભક્ત કવિ નરસિંહ મહેતાની આ જન્મભૂમિ છે તો અહીં ભગવાન સ્વામિનારાયણ સ્વયં પગલા કરી ગયા છે. તળાજા ને સમસ્ત ભારતનો જૈન શ્વેતાંબર સમુદાય શ્રી તાલધ્વજગિરી તીર્થક્ષેત્ર તરીકે પૂજે છે.
શ્રી શેત્રુંજય પર્વતમાળા નો એક અવિભાજ્ય ભાગહોય તેથી આ પર્વત પર પણ અગણિત પુણ્યત્માઓએ મોક્ષ પ્રાપ્તકર્યો હોવાથી તાલધ્વજ નગરી અને અહીં શોભતો તાલધ્વજગીરી પર્વતનું અનેરું મહત્વ છે.
ડુંગરપર આવેલ શ્રી સુમતીનાથ પ્રભુના જિનાલય નો 200 મી વર્ષગાંઠ થોડા વર્ષો પહેલા ગામ સમસ્ત ના સહકાર થી ઉજવ્યા બાદ હવે શ્રી ચિંતામણીપાર્શ્વનાથ નું શિખરબંધ જિનાલય એકસો વર્ષપૂર્ણ થતાં હોય વિજય દર્શન સૂરીશ્વરજી મહારાજની મિશ્રામાં આઠ દિવસનો ભવ્ય મહોત્સવ ઉજવવાનું આયોજન થયું છે.
શ્રી ચિંતામણી ભગવાન પ્રાચીન પ્રતિમા નજીકના સાકડાસર ગામે ખેતરમાં ખોદકામ કરતાં મળી આવેલ હતી.જેને લઈ જિનાલય મા મૂળ નાયક તરીકે વિ. સં.1980 ના વૈશાખસુદ 10ના દિવસે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.જેને 100 વર્ષ થતા હોય ઉજવણી ના ભાગ રુપે તા.16 ને ગુરુવાર સવારે 7:00 કલાકે શ્રી વિજયશીલચંદ્રસુરીજી મ.સાના વાજતે ગાજતે સામૈયા સાથે નગર પ્રવેશ કરાવવામાં આવશ.
ત્યારબાદ સવારે 8 કલાકે સકળ સંઘ નૌકારશી,9 કલાકે કુંભ સ્થાપના સહિતના ધર્મીક કાર્યક્રમો યોજાશે.તા.17 શુક્રવારે સવારે 9 કલાકે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય માં બિરાજતા જીન બીંબોના 18 અભિષેકનું મંગળવિધાન,રાત્રે 8 કલાકે ભાવના, ધ્વજા ના ચડાવા થશે.તા 18 ને સવારે 7.45 કલાકે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાના જિનાલયના શિખર ઉપર શતાબ્દી વર્ષની ધ્વજા આરોહણ.સાંજે 7.30 કલાકે માં પૂજા ભાવના ગિરિરાજ ઉપર થશે.તા.22ને બુધવાર સુધી સવારે અને રાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આ જન્મોત્સવ અવસરે તળાજા ના જૈન પરિવારના સભ્યો બહેન દીકરીઓ સ્નેહીજનો રાજ્ય અને દેશમાં અલગ અલગ સ્થળે સ્થાયી થયા હોય તે તમામ ધર્મોત્સવ નો લાભ લેવા માટે ખાસ હાજરી આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy