રાજકોટમાં વધુ બે યુવાનના હાર્ટએટેકથી મોત

Saurashtra | Rajkot | 01 May, 2024 | 04:21 PM
ગોકુલધામ આવાસમાં રહેતા પરેશભાઈ ત્રિવેદી અને પેડક રોડ પર એકલવાયું જીવન જીવતા રાજુભાઇએ સારવારમાં દમ તોડ્યો
સાંજ સમાચાર

રાજકોટ, તા.1
રાજકોટમાં વધુ બે યુવાનના હાર્ટ એટેકથી મોત થયું છે. ગોકુલધામ આવાસમાં રહેતા પરેશભાઈ ત્રિવેદી અને આડા પેડક રોડ પર એકલવાયું જીવન જીવતા રાજુભાઇએ સારવારમાં દમ તોડ્યો હતો.

પ્રથમ બનાવની વિગત અનુસાર પરેશભાઈ ગીરજાશંકર ત્રીવેદી (ઉ.વ.44 રહે- ગોકુલધામ આવાસ ક્વાર્ટર, રાજકોટ) નામનો યુવક સાંજે સૂતા બાદ ઉઠ્યો જ નહીં. બેભાન હાલતમાં યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે તેઓનાં પરિવારજનોએ જણાવ્યું કે પરેશભાઈને છેલ્લાં ત્રણેક મહીનાથી પગમાં સોજા ચડતાં હતાં.

તેઓ ઘડિયાળના કારખાનાં નોકરી કરતો હતો. ગઈ કાલે પોતાનાં ઘરે સાંજે સુઈ ગઈ બાદ સવારે ઉઠયા જ નહિ.જેથી યુવકને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં  આડો પેડક રોડ સંત કબીર રોડના નાલા પાસે શ્યામજી કૃષ્ણવર્મા વર્મા બગીચા પાસે શક્તિ પરોઠાના સામે બેભાન હાલતમાં પડેલ યુવકને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ યુવકે દમ તોડી દિધો હતો.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રાજુભાઈ ભરતભાઈ (ઉ.વ.35) રખડતું ભટકતું જીવન જીવતો હતો. સંત કબીર રોડના નાલા પાસે શ્યામજી કૃષ્ણવર્મા વર્મા બગીચા પાસે રહેતો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj