રાજકોટ, તા.27
પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે.
જે અંતર્ગત ધો.7માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે ધો.7માં પ્રથમ સેમિસ્ટારમાં 85% કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ પરિક્ષા આવતીકાલ તા.28 ને રવિવારના રોજ લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા માટે જે બાળકોએ ફોર્મ ભરેલ છે તેઓએ ચાણક્ય વિદ્યામંદિર, કરણસિંહજી રોડ, અંબિકા લોન્ડ્રીની બાજુમાં, રાજકોટ ખાતે સવારે 7:30 વાગ્યે કોલ લેટર સાથે ઉપસ્થિત થવાનું રહેશે. આ પ્રવેશ પરિક્ષામાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી તેઓને ધો.8 માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી ધો.12 સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે છે. વધુ માહિતી માટે ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં. (0281) 2704545 પર સંપર્ક કરવાનો રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy