સૌરાષ્ટ્ર યુનિ.નાં રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસ કયારે ? પ્રવકતા નિદત બારોટની પત્રથી માંગ

Saurashtra | Rajkot | 18 April, 2024 | 05:11 PM
કાર્યકારી કુલસચિવ રમેશ પરમાર જ તપાસ કરાવનાર અને પોતે જ ગુનેગાર હોય હવે તપાસ કઇ દિશામાં થશે ?
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
રાજયના શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિ.ના તા. 1-4થી પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે ધારી સ્થિત  આર્ટસ કોમર્સ કોલેજના સંચાલકો દ્વારા ખોટા ડોકયુમેન્ટસના આધારે શરૂ થયેલ કોલેજ સંદર્ભે ફોજદારી  કાર્યવાહી કરવી અને સરકારને યોગ્ય ચકાસણી કર્યા વગર પત્રો મોકલનાર યુનિ.ના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કવરી. તો તપાસ કયારે થશે ? તેવી માંગણી પ્રવકતા ડો. નિદત બારોટે ઉઠાવી ઉચ્ચ શિક્ષણ કમિશ્નર-ગાંધીનગરને પત્ર પાઠવ્યો છે. 

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલસચિવ રમેશ પરમારે જણાવ્યું કે સમગ્ર બાબત જોડાણને લગતી છે માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુકવામાં આવ્યા બાદ નિર્ણય થશે. હકીકતે સરકારના શિક્ષણ વિભાગે સમગ્ર બાબતની તપાસ કરી લીધા બાદ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા અને યુનિ.ના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા જણાવ્યું છે. આપના પત્રમાં આપે 16-12-22ના પત્રથી રજુ કરેલ હકીકતલક્ષી અહેવાલ આધાર પુરાવાઓની ચકાસણી કર્યા વગર મોકલેલ છે.

તેવી ગંભીર નોંધ આપે લખેલ છે અને તેના માટે યુનિ.ના જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ કરવી. આપને જણાવવાનું કે 16-12-22નો હકીકતલક્ષી અહેવાલ મોકલનાર અને તૈયાર કરનાર જોડાણ વિભાગના અધિકારી રમેશ પરમાર હતા. હાલમાં આ જ રમેશ પરમાર કુલસચિવ તરીકે વધારાની સેવાઓ આપે છે. હવે આપે પત્રમાં જણાવ્યા અનુસાર કાર્યકારી કુલસચિવ રમેશ પરમાર, તત્કાલીન જોડાણ અધિકારી રમેશ પરમાર સામે ખાતાકીય તપાસ કઇ રીતે કરી શકે ? પોતે જ તપાસ કરાવનાર અને પોતે જ ગુનેગાર આવું સરકારના સેવાના નિયમોમાં કયાંય  ઉલ્લેખ છે ? 

જાહેર માધ્યમોમાં કાર્યકારી કુલસચિવે જણાવ્યું કે હાલમાં આચારસંહિતાને કારણે કોઇ પગલા લીધા નથી. ફોજદારી કાર્યવાહી અને ખાતાકીય તપાસ માટે કેવી રીતે આચારસંહિતા લાગે એ પણ મોટો પ્રશ્ર્ન છે. સરકારના શિક્ષણ વિભાગે  તપાસ પૂર્ણ કર્યા પછી ફોજદારી કાર્યવાહી કરવા જણાવ્યું છે. ત્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટને પુછવુ પડે તે વાત પર રમેશ પરમારની પોતે આચરેલ ગુનો છુપાવવા માટેની છે.

પ્રથમ કાર્યકારી કુલસચિવ સમગ્ર તપાસમાં હસ્તક્ષેપ ના કરી શકે માટે તેમણે કાર્યકારી કુલસચિવ તરીકેની જવાબદારીમાંથી છુટા કરી અને ખાતાકીય તપાસની સમગ્ર બાબતની તપાસ નિવૃત ન્યાયધીશ પાસે કરાવવી જોઇએ આ બાબતે તાકીદે તપાસ કરવામાં આવે તેવી માંગ અંતમાં કોંગે્રસ સમિતિ પ્રવકતા ડો. નિદત બારોટે કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj