ભાવનગર, તા.27 ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતા યુવાને આજે પરોઢિયે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલી બળવંતરાય સોસાયટીના પ્લોટ નં. 40માં રહેતા શૈલેષભાઈ મથુરભાઈ સોલંકી ઉં.વ.48એ આજે પરોઢિયે પોતાના ઘરે કોઈ કારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન થોડી જ વારમાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy