ઉના,તા.13
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં દરીયાઇ કાંઠે ચાર વર્ષ પહેલાં ફુંકાયેલા તોકતે વાવાઝોડું એ સમગ્ર પંથકમાં ખાના ખરાબી મચાવી દીધી હતી તંત્ર અને સરકાર પણ દોડતી થઇ ગયાં બાદ લોકોને તાત્કાલિક રાહત સહાય મળે તેવી જડપી કામગીરી આડેધડ કર્મચારી ને મુકીને સર્વે કરાવી વાવાઝોડા નો ભોગ બનેલાં લોકો ને રાહત સહાય મળે તેવાં પ્રયાસ કર્યો હતો અને અંદાજીત 2.50 કરોડ ની સહાય રાજ્ય સરકારે ફાળવી હતી.
તો બીજી તરફ તોકતે વાવાઝોડા નો લાભ ઉઠાવી ને ખોટા લોકો એ વધું પડતી રાહત સહાય મેળવી આપત્તિ માં પણ પોતને જાણે તક મળી હોય તેમ લાભાર્થી બની ખોટી રીતે સહાય મેળવી લીધી હતી અને સાચાં લોકો સહાય થી વંચિત રહ્યા હતાં આ બાબતે લાંબા સમય સુધી તંત્ર સામે લડત આંદોલન રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર એ કોઈ ચોકસાઈ પૂર્વક તપાસ નહીં કરી રાજ્કીય નેતાઓ અને લાગવગયા કર્મચારીઓ ની ભલામણો આધારે સહાય ની રકમ ચુકવી દીધી હતી.
ચાર વર્ષ જેવાં લાંબા સમય બાદ આ તોકતે વાવાઝોડા ની સહાય નું ભુત બહાર આવ્યું અને તંત્ર જાગ્યું હોય તેમ દોડતું જોવાં મળ્યું છે કારણ કે રાજ્ય સરકાર નાં જનરલ ઓડીટર દ્વારા આ તોકતે વાવાઝોડા ની સહાય રકમ નું ઓડીટ થતાં એકજ નામ નાં વ્યકિત ને ભળતા નામે તેમજ એકજ લાભાર્થી ને અંલગ અંલગ જગ્યા ની મિલકતો બતાવી સહાય ચૂકવવા માં આવી હોવાનું બહાર આવતાં જેતે વખત સહાય કંઈ રીતે અપાઈ હતી તેની ઈનકવાયરી ઊભી કરતાં ઉના શહેરમાં મામલતદાર કચેરી હસ્તે શહેરી વિસ્તારમાં રહેતાં 90 લાભાર્થી ને ઘરવખરી સહાય પેટે 311000 તેમજ મકાન સહાય નાં 137 લાભાર્થી ને 1795100 ની રકમ ચુકવવા માં તંત્ર દ્વારા અનેક ક્ષતિઓ રહીં હોવાનું બહાર આવતા આવાં તમામ લાભાર્થી ને મામલતદાર દ્વારા નોટીસ પાઠવી ને તાત્કાલિક ખુલાશો આપવા રૂબરૂ બોલાવેલ છે અને સરકારી ચુકવાયેલ સહાય ની રકમ પરંત જમા કરાવવા જણાવ્યું છે
ચાર વર્ષ બાદ માત્ર શહેરી વિસ્તારમાં ચુકવાયેલ સહાય ની ક્ષતિઓ બહાર આવતાં તંત્ર અને લાભાર્થી દોડતાં થયાં છે. આ બાબતે મામલતદાર ભિમાણી નો સંપર્ક કરતાં તેમણે જણાવેલ કે તોકતે સમયે ચુકવાયેલ સહાય ની રકમ ઓડીટ પેરા માં ક્ષતિઓ કાઢવામાં આવી છે આ રકમ ભળતાં નામે લાભાર્થી છેકે કેમ તેમજ એકજ લાભાર્થી ની અંલગ અંલગ મિલકતો ને નુકશાન પહોંચ્યું છે કે કેમ તે અંગે ચેકાસણી કરવાં લાભાર્થી ને નોટીસ પાઠવી છે અને તેને સાંભળ્યા બાદ ખરેખર સાચાં લાભાર્થી હશે તો રીપોર્ટ કરાશે અને ખોટાં હશે તો તેની પાસે રકમ વસુલાત લેવામાં આવશે હાલ ની તકે આપેલ રકમ નાઆંકડા માં તપાસ કરતાં તફાવત પણ આવી શકે છે તેવું જણાવ્યું હતું.
તોકતે વાવાઝોડા વખતે તાલુકા પંચાયત કચેરી દ્વારા પણ કરોડો રૂપિયાની રકમ સહાય પેટે ચુકવાઈ હતી અને જેતે વખતે ખોટી રકમ ચુકવી હોવાનાં આક્ષેપો થયા હતા ઓડીટર દ્વારા જીણવટ ભરી તપાસ કરવામાં આવે તો અનેક કર્મચારી અને ખોટાં લાભાર્થી ઓ નો પર્દાફાશ થશે અને સરકાર ની સહાય ની રકમ મેળવી ને ડકાર લેનારાં પાસે વસુલાત કરી શકાય તેવી પણ લોક ચર્ચા ઉઠવા પામી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy