♦20 ફૂટ ઉંચા ફૂલોથી સુશોભિત તેમજ રોશનીનાં શણગાર ભવ્ય રથમાં ત્રણ ફૂટ લંબાઈ અને પહોળાઈના ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવજી અને બહેન સુભદ્રા નગર ચર્યાએ નીકળશે
રાજકોટ,તા.5
આ રવિવારે 07 જુલાઈ ના રોજ અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષ ની માફક આ વર્ષે પણ ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રા ને લઇને રાજકોટવાસીઓ માં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે વામન પુરાણ માં જણાવાયું છે કે "જે કોઈ વ્યક્તિ ભગવાન જગન્નાથ ના રથ નું દોરડું ખેંચે છે અથવા દોરડા ને સ્પર્શ પણ કરે છે તો તેના જન્મો જન્મ ના પાપ નષ્ટ થાય છે. જે કોઈ પણ રથ પર બિરાજેલા ભગવાન શ્રી જગન્નાથના એક વાર પણ દર્શન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી" આ વર્ષે રથયાત્રા ની ઉજવણી ખૂબ જ ધામધૂમ થી અને હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવશે. ઉજવણી ની તૈયારી ના ભાગ રૂપે મંદિર ને આકર્ષક લાઈટ થી શણગારવામાં આવેલ છે.
ભગવાન ના રથ ને ફૂલો ની લાર થી શણગારવામાં આવશે અને રાત્રે ભગવાન ના રથ પર દર્શન સારી રીતે થઇ શકે એ હેતુથી રથ ને વિશેષ લાઈટ દ્વારા રોશનીયુક્ત કરવામાં આવશે. રથયાત્રા જયારે શહેર ના રાજમાર્ગો પર થી પસાર થાય ત્યારે શહેરીજનો ને પ્રસાદ ના ભાગ રૂપે બુંદી નું વિતરણ કરવા માટે 5000 સલ બુંદી તૈયાર કરવામાં આવેલ છે જે બુંદી ના આશરે 80 હજાર પેકેટ ભક્તો તેમજ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવશે અને આ 80 હજાર બુંદી ના પેકેટ નું વિતરણ શહેર ના રાજમાર્ગો પર રથ ના દર્શન કરતા દર્શનાર્થીઓ માં કરવામાં આવશે.
કાર્યકમની રૂપરેખા:-
તદ્ ઉપરાંત પ્રભુજી જણાવે છે કે અષાઢી બીજ ના કાર્યક્રમ ની શરૂવાત સવારે 4:30 વાગે વિશેષ મંગળા આરતી થી કરવામાં આવશે. 9:00 વાગે વિશેષ શ્રુંગાર દર્શન અને 10 વાગે ભગવાન જગન્નાથ ને 56 ભોગ અર્પણ કરવામાં આવશે. સવારે 11 વાગે ઇસ્કોન મંદિર સિંગાપોરના પ્રમુખ દેવકીનંદન પ્રભુજી દ્વારા દ્વારા જગન્નાથ કથા પર પ્રવચન આપવામાં આવશે. રથયાત્રાની શરૂવાત બપોરે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે. ચોક, પુષ્કરધામ ચોક થઇ કાલાવડ પર આવશે
જ્યાં એજી ચોક, જ્ડ્ડુસ રેસ્ટોરન્ટ થી કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિર એ આવશે. ઉપરોક્ત દર્શાવેલ દરેક મુખ્ય ચોક પર ભગવાન જગન્નાથ ની આરતી કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન સંપૂર્ણ માર્ગ માં હરે કૃષ્ણ મહામંત્ર નું કીર્તન કરવામાં આવશે અને વાજતે ગાજતે અને નાચતે ભગવાન જગન્નાથ ને નગરચર્યા કરાવવામાં આવશે. રાત્રે 8 વાગ્યાં થી મંદિર માં સૌ દર્શનાર્થીઓ ભંડારા પ્રસાદ શરુ થઇ જશે.
રથયાત્રા દરમિયાન રથયાત્રા મા આવનાર ભક્તો ની સલામતી ની પણ વિશેષ તકેદારી રાખવામાં આવશે. રથયાત્રા દરમિયાન માર્ગ મા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે ટે હેતુ થી સ્વયં સેવકો ની એક ટીમ બનાવવા મા આવી છે તદુપરાંત રથયાત્રા દરમિયાન રસ્તા મા આવતા ઇલેક્ટ્રિક વાયરો થી કોઈ અકસ્માત ના થાય તે હેતુ થી લદભહ ની ટીમ પણ રથયાત્રા ની સાથે તૈનાત રહે તે માટે ાલદભહ ને પણ વિનંતી કરવામાં આવેલ છે.
પોલીસ પ્રશાશન માંથી પણ રથયાત્રા ની સલામતી જાળવવા માટે રથયાત્રા મા પોલીસ નો કાફલો પણ તૈનાત રહેશે.તેમ જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy