રાજકોટ, તા. 2
ઘણા સમયથી શહેરને રોગચાળાએ ભરડામાં લીધુ હોય તેમ ઝાડા-ઉલ્ટી, શરદી, ઉધરસ, કમળા જેવી બિમારીથી લોકોના જીવ થઇ રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે આજે કુબલીયાપરામાં રહેતા 26 વર્ષના સુનિલ કુબાવત નામના યુવકનું કમળાથી બીમારીથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કુબલીયાપરામાં લાખાજીરાજ, ઉદ્યોગનગર શેરી નં.9માં રહેતા સુનિલભાઇ અશોકભાઇ કુબાવત (ઉ.વ.26) આજે સવારે 11 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડયો હતો જેમને તાત્કાલીક સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા યુવકનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ મૃતક યુવક હાર્ડવેરનું કામ કરતો હતો અને તે છેલ્લા એક મહિનાથી લીવરની બીમારીમાં સપડાયો હતો.
બાદમાં 20 દિવસની કમળાની બિમારીમાં સપડાયો હતો. મૃતક બે ભાઇ ત્રણ બહેનમાં નાનો અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy