રામલલ્લાના શણગાર સાથે રોજ બદલાય છે સોનાના મુગટ

India, Dharmik | 26 April, 2024 | 12:36 PM
કપડા ડિઝાઇન કરતી વખતે ધ્યાન રાખવુ પડે છે કારણ કે ભક્તોની ભાવનાઓ જોડાયેલી હોય છે: ફેમસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠી
સાંજ સમાચાર

અયોધ્યા, તા 26 
 રામ મંદિરમાં બેઠેલા બાળ રામની દિવ્ય મૂર્તિ રોજ નિખરે છે. તેનો મેકઅપ પણ રામલલાની આભામાં વધારો કરે છે. તેને દરરોજ વિવિધ રંગો અને ડિઝાઇનના કપડાં પહેરવા અને આભૂષણો પહેરવા ઉપરાંત તેમના સોનાના મુગટને પણ બદલવામાં આવી રહ્યો છે.

રામલલાને વિવિધ પ્રકારની સોનાની જરી વાળી પાઘડીઓ પણ પહેરવામાં આવે છે.આમાં ત્રણ કલગીઓ તો ક્યારેક એક કલગી અને ક્યારેક સામાન્ય થી થોડો અલગ મુગટ નો સમાવેશ થાય છે. 

રામલલાના વસ્ત્રો ને ડિઝાઇન કરનાર ફેમસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠી જણાવે છે કે, રામલલા માટે ખાદી અને ખાદી સિલ્કના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે. તેણે કહ્યું કે આ અમારું સૌભાગ્ય છે કે મને રામલલાના કપડાં ડિઝાઇન કરવાની તક મળી છે.

આ પણ એક મોટો પડકાર છે. તેમનું કહેવું છે કે અલગ-અલગ કપડાં ડિઝાઇન કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવુ પડે છે કે અહીં ભક્તોની ભાવનાઓ સંકળાયેલી હોય છે, તેથી તેમને પણ કપડાં ગમવા જોઈએ.

બીજા તબક્કાના બાંધકામને વેગ મળ્યો
રામ મંદિરના બીજા તબક્કાના નિર્માણને પણ વેગ મળ્યો છે. જો કે, સખત તાપ ના કારણે કામદારોના કામને અસર પડી છે, જેનું પૂરતી રાત્ર આખી કામ કરી ચૂકવવામાં આવે છે.

આ સાથે, પહેલા માળનું 70% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજા માળનું કામ પણ શરૂ થઈ ગયું છે. તેવી જ રીતે, શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન સપ્ત ઋષિઓના મંદિરોના પાયાનું નિર્માણ કાર્ય 50% પૂર્ણતાને આરે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj